https://images.bhaskarassets.com/web2images/960/2023/01/14/13_1673685779.jpg
- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- In Vadodara, 20 Birds, Including An Owl Injured By Kite String, Were Rescued By Lifesaving Organizations, Two Birds Underwent Surgery.
4 મિનિટ પહેલા
ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરી રહેલા કાર્યકરો, તબીબો.
રંગબેરંગી પતંગો અને ધારદાર દોરીથી અવકાશી યુદ્ધ ખેલવાના ઉત્સાહમાં આકાશમાં વિહરતા અનેક પક્ષીઓના જીવ જોખમમાં મુકાયા છે. વડોદરામાં ડિજિટલ એક્સ-રે મશીન અને ઓક્સિજનનો ઉપયોગ કરી 7 પક્ષીઓના જીવ તબીબી ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. વડોદરા શહેર જિલ્લામાં પતંગની દોરીથી કબૂતર, સમડી, પોપટ, મોર, ઘૂવડ જેવા 100થી વધુ પક્ષીઓને ઇજા પહોંચી છે. આ વખતે અબોલ ઘાયલ પક્ષીઓને બચાવવા માટે 700 કર્મયોગીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
વિવિધ પક્ષીઓ ઇજાગ્રસ્ત
કબુતર, પોપટ, સમડી સહિતના પક્ષીઓ ઇજાગ્રસ્ત આણંદ મેડિકલ કોલેજના સર્જરી વિભાગના ડો. પંકજે જણાવ્યું હતું કે, બે દિવસમાં પતંગ દોરીથી અમારા સેન્ટરમાં કબૂતર, પોપટ, સમડી જેવા ઇજાગ્રસ્ત પક્ષીઓ આવી રહ્યા છે. તેઓને જરૂરી સારવાર આપી બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અલગ-અલગ એજન્સીઓ તેમજ વનવિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.

ઇજાગ્રસ્ત પક્ષીઓને લાવા માટે રેસ્ક્યુ ટીમ તૈનાત કરાઇ હતી.
ઓક્સિજનનો ઉપયોગ કરી જીવ બચાવ્યા
ઓક્સિજનનો ઉપયોગ કરી પક્ષીઓનો જીવ બચાવ્યો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં સૌપ્રથમ વખત માનવ શરીરને જે પ્રકારથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેવી જ રીતે પક્ષીઓને પણ ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઓક્સિપલ્સ મીટર, એક્સ રે, પેસી ઓક્સિજન સહિતના અત્યાધુનિક સાધનો સાથે સારવાર આપવામાં આવી રહી છે. 7 ઇજાગ્રસ્ત પક્ષીઓને ડિજિટલ એક્સરે અને પેસી ઓક્સિજનનો ઉપયોગ કરી જીવ બચાવી લેવામાં આવ્યો છે. ઉત્તરાયણની વહેલી સવારથી વડોદરાની ફોરેસ્ટ ઓફિસ ખાતે પક્ષીઓની સારવાર શરૂઆત કરવામાં આવી છે. ગઈકાલથી અત્યાર સુધી 360 જેટલા પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા છે. અને તેઓને સારવાર આપવામાં આવી છે. જેમાં કબુતર પોપટ સમડી મોર ઘુવડ કાકનસાર, બગલો જેવા પક્ષીઓનો સમાવેશ થયો છે.
આ વખતે પક્ષીઓ ઓછા ઘાયલ થયા
ગત વર્ષ કરતા ઓછા પક્ષીઓ ઘાયલ થઇ રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ પક્ષીઓનો ઘાયલનો આંકડો ઓછો છે. અને આજે પણ પતંગ રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે. ત્યારે દિવસ દરમિયાન ઘાયલ પક્ષીઓનો ઈલાજ કરવા માટે ફોરેસ્ટ વિભાગ સજ્જ બન્યું છે. આ ઉપરાંત વિવિધ જીવદયા સંસ્થાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સેન્ટરો શરૂ કરી ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવામાં આવી રહ્યા છે.
પક્ષીઓ રેસ્ક્યુ કરાયા
200 પક્ષીઓને રેસ્ક્યૂ કરીને સારવાર અપાઇ વડોદરા જિલ્લા પંચાયતના નાયબ પશુપાલક નિયામક ડો. જિગ્નેશ દવેએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ભૂતડીઝાપા પશુ દવાખાના, કમાટીબાગ વન વિભાગ, પંડ્યા બ્રિજ ખાતે વેટરનીટી પોલી ક્લિનિક ખાતે 3 સેન્ટરો ઉભા કરાયા છે. તેમજ દરેક તાલકા કક્ષાએ સેન્ટરો ઉભા કરાયા છે. 10 જાન્યુઆરીથી અત્યાર સુધી 537 પક્ષીઓને રેસ્ક્યૂ કરીને સારવાર અપાઇ છે. જેમાં 480 કબૂતર, 10 ઘુવડ અને 9 સમડીનો સમવેશ થાય છે.
વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી
રાજ્યભરમાં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગોના દોરાથી ઘાયલ થતા ઘાયલ પશુની સારવાર માટે રાજ્યભરમાં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વડોદરા શહેરમાં પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે એમ્બ્યુલન્સ, રેસ્ક્યૂ સેન્ટર, સારવાર કેન્દ્રો, ઓપરેશન થિયેટરની વ્યવસ્થા વન વિભાગ સહિત એનજીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે.