https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/orig_1_1673838219.jpg
જામનગર14 મિનિટ પહેલા
- કૉપી લિંક

- કરૂણા અભિયાન અંતર્ગત કામગીરી : પેલીકન, વોલી, બગલો ઘાયલ થતાં સારવાર
જામનગર શહેર-જિલ્લામાં ઉતરાયણના પતંગની દોરીથી 3 કબૂતરના મોત નિપજયા છે. 48 ઇજાગ્રસ્ત કબૂતરની સારવાર કરવામાં આવી હતી. પેલીકન, વોલી અને બગલો પણ ઘાયલ થતા સારવાર કરાઇ હતી. કરૂણા અભિયાન અંતર્ગત કાર્યરત કેન્દ્રો પર આ કામગીરી કરાઇ હતી.
જામનગરમાં ઉતરાયણના પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ માટે વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જામનગર, ખીજડીયા, જોડિયા, ધ્રોલ, જામજોધપુર, લાલપુર, કાલાવડ અને સિકકા સહિત કુલ 9 પક્ષી સારવાર કેન્દ્ર એક દિવસ માટે ઉભા કરવામાં આવ્યા હતાં. શનિવારે મકરસંક્રાતિના દિવસ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ 51 ઇજાગ્રસ્ત કબૂતર આવ્યા હતાં.
જેમાંથી 3 ના મોત નિપજયા હતાં. જયારે 48 ની સારવાર કરી મુકત કરાયા હતાં. પતંગની દોરીથી 1 પેલીકન, 1 વોલી અને 1 બગલો પણ ઘાયલ થયા હતાં. જેની વનવિભાગ અને 1962 ની ટીમ દ્વારા સારવાર કરી કુદરતના ખોળે મુકત કરાયા હતાં. જામનગર મનપા દ્વારા સોનલનગર ઢોરના ડબ્બામાં પક્ષી સારવાર કેન્દ્ર ઉભું કરાયું હતું. જેમાં દિવસ દરમ્યાન કોઇ પક્ષી સારવાર માટે ન આવ્યા હતાં.