https://images.bhaskarassets.com/web2images/960/2023/01/17/006345a9-cadd-432b-a1bc-2891306bf076_1673940606927.jpg
દાહોદ8 મિનિટ પહેલા
- કૉપી લિંક

દાહોદ શહેરમાં મંગળવારે સવારે 7 વાગ્યાથી વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.જેની જાણકારી આગલા દિવસે સોશ્યલ મિડીયામાં આપવામાં આવી હતી. જોકે, 8 કલાક જેટલો લાંબો સમય અને તે પણ સળંગ વીજપુરવઠો મેન્ટેનન્સ માટે બંધ રખાતા શહેરીજનોમાં ઘણાં પ્રશ્નાર્થો સર્જાયા છે.જેથી ટેકનીકલ રીતે જાણકારી આપવી જરુરી બની છે.
દાહોદમાં વીજ ગ્રાહકો પ્રમાણિક રીતે વીજ બીલ ભરે છે
દાહોદ શહેર માત્ર 6 કીલોમીટરની ત્રિજ્યામાં વસેલુ શહેર છે અને શહેરની વસ્તી 1.25 લાખ જેટલી માનવામાં આવે છે.શહેરમાં તમામ રહેણેાંક વિસ્તારોમાં વીજ જોડાણો શહેરીજનોએ લીધેલા છે અને વીજ ચોરીની ઘટનાઓ પણ શહેરમાં જોવા મળતી નથી.પ્રામાણિક પણે શહેરીજનો વીજ પુરવઠાના નાંણા ચુકવે છે.સ્લમ વિસ્તારોમાં પણ વીજ ચોરીની ફરિયાદો અન્ય નગરો મહાનગરોની માફક સાંભળવા મળતી નથી. ઉદ્યોગો પણ મર્યાદિત સંખ્યામાં છે.તેમાંયે જીઆઇડીસી ગ્રામ્ય વિસ્તારમાં છે જેથી શહેરીજનોને તેના કારણ પણ રાહત છે.
ચોમાસામાં ચોક્કસ વિસ્તારોમાં અંધારપટ વેઠવાનો વારો
શહેરમાં કેટલાક વિસ્તારોને બાદ કરતા વીજ કંપનીની ફરિયાદો પણ સવિશેષ નથી.મુખ્યત્વે ચોમાસામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ કે સામાન્ય પવનોની સાથે જ વીજ પુરવઠો નિયમિત રીતે ખોરવાઇ જાય છે અને કલાકો સુધી તે પૂર્વવત ન થતાં વીજ કચેરીએ શહેરીજનોના ટોળા ઉમટી પડે છે.કારણ કે પ્રિમોન્સુન કામગીરીના નામે ચોમાસા પહેલા દર મંગળવારે કલાકો સુધી વીજપુરવઠો બંધ રાખ્યા પછીએ તેનો કોઇ અર્થ સરતો ન હોવાથી જે તેે વિસ્તારના વીજગ્રાહકોમાં સ્વાભાવિક રીતે જ ભારોભારો રોષ ફેલાય છે.તેમ છતાં ગત ચોમાસા સુધી તેમાં કોઇ ઝાઝો સુધારો આવ્યો નથી તે સનાતન સત્ય છે.
મંગળવારે ફરીથી શહેરના મોટા ભાગના વિસ્તારોના ફીડરો બંધ કરાયા
હવે શિયાળો જામ્યો છે ત્યારે ફરીથી વીજ પુરવઠો મંગળવારે બંધ રાખવાની શરુઆત થઇ છે.તારીખ 17 જ3ન્યુઆરીના રોજ મંગળવારે સવારે 7 વાગ્યાથી વીજપુરવઠો બંધ કરી દેવાયો છે જે બપોરના 3 કલાકે ચાલુ કરવાની જાહેરાત વીજ કંપની દ્રારા આગલા દિવસે કરવામાં આવી છે.જેમાં શહેરના મોટા ભાગના ફિડરો બંધ કરાયા છે.ગોવિંદ નગર ફીડર, રેસ્ટ હાઉસ ફીડર, હનુમાન બજાર ફીડર,કલ્યાણ સોસાયટી ફીડર,સ્ટેશન રોડ ફીડર,દર્પણ રોડ ફીડર,સહકાર નગર ફીડર અને એલઆઇસી ફીડરોને સમાવેશ થાય છે.આ ફીડરોમાં શહેરના મોટાભાગના વિસ્તારો સમાવિષ્ટ હોવાથી નાગરિકોને હાલાકીનો સામને કરવો પડી રહ્યો છે.
સ્માર્ટસીટીમાં તો 24 કલાક વીજ પુરવઠો આપવો પડે ને?!
વીજ પુરવઠો બંધ રહેવાની સુચના સાથે જ શહેરીજનોએ સોશ્યલ મીડીયામાં સવાલ જવાબ કર્યા હતા.ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યુ હતુ કે 132 કેવી રાબડાલ સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ કરવાનુ હોવાથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.આ બાબતે જાગૃત્ત નાગરિક મનોજભાઇ કીકલાવાલાએ એવો પ્રશ્ન કર્યેો હતો કે મહાનગરોમાં પણ આટલો લાંબો સમય વીજ પુરવઠો બંધ રખાતો નથી ત્યારે નાનકડા દાહોદ શહેરમાં જ મેન્ચેનન્સના નામે દર મંગળવારે વીજ પુરવઠો બંધ રાખવો પડે છે.તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે સ્માર્ટ સીટીમાં તો વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ નાગરિકોને 24 કલાક આપવી પડે તો એમજીવીસીએલ ક્યારે સ્માર્ટ બનશે.