https://images.bhaskarassets.com/web2images/960/2023/01/17/6f8b8db4-ac4e-4748-8a26-a6638be6caa7_1673964039841.jpg
નર્મદા (રાજપીપળા)13 મિનિટ પહેલા
- કૉપી લિંક

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બન્યું હોટ ફેવરેટ બની રહ્યું છે. વાર તહેવાર હોય કે મીની વેકેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરીને પ્રવસીઓ ખુબ પસંદ કરી રહ્યા છે. કેમકે અહીંયા નાના બાળકોથી લઈને યુવાનો, યુવતીઓ, મહિલાઓ, પુરુષો અને વૃદ્ધો, તમામ ઉંમરના લોકોને ગમે એવા આકર્ષક 20થી વધુ પ્રોજેક્ટો છે. સેલ્ફી માટે ફ્લાવર ઓફ વેલી છે. સીન સિનેરીઓ પણ ખુબ સુંદર છે. એટલે આ ડિસેમ્બરમાં 7 લાખ પ્રવાસીઓ નોંધાયા. અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા છે અને આ જાન્યુઆરી મહિનામાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય છે, પરંતુ જાન્યુઆરી મહિનામાં પણ રોજના 18થી 20 જેટલા પ્રવાસીઓ હોય જ છે. 31 ઓક્ટોબર 2018માં SOU ખુલ્લું મુકાયા બાદ છેલ્લા 4 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 1.20 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે.

નર્મદા જિલ્લામાં પહેલા નર્મદા ડેમ સાથે ઝારવાણી ધોધ, નિનાઈ ધોધ અને પોઇચા સ્વામિનારાયણ નીલકંઠ ધામ, હરસિધ્ધિ માતાજી મંદિર દેવમોગરા મંદિર સહિત ધાર્મિક અને પ્રવાસન સ્થળો હતા. 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ અને અવનવા પ્રોજેક્ટો બાદ નર્મદા જિલ્લો દેશ અને દુનિયાના નકશામાં અંકિત પામ્યો છે અને દેશ-વિદેશથી અહીંયા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. જેને લઈને હવે પ્રવસીઓની સુવિધાઓ માટે બસોની સંખ્યા વધારવામાં આવી. ઓનલાઇન ટિકિટ સાથે ઓફલાઈન ટિકિટ બારીઓ પણ વધારવામાં આવી, પિન્ક રીક્ષાઓ, ઈ-કારની સુવિધાઓમાં, જંગલ સફારીમાં, ગોલ્ફ કાર સુવિધાઓ વધારવામાં આવી છે. ત્યારે પ્રવાસીઓને અહીંયા મુક્ત મને ફરવા સાથે ચોખ્ખું વાતાવરણ પણ મળી રહે છે. એટલે અહીંયા પ્રવસીઓ ખુબ આવી રહ્યાં છે.

