સરકારે 8 સ્થળો પસંદ કર્યા
રાજ્ય સરકાર આગામી દિવસોમાં સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવા જઈ રહ્યું છે, જેની જવાબદારી પ્રવાસન વિભાગને સોંપવામાં આવી છે. પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતના 8 સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતની એવી જગ્યાો પસંદ કરવામાં આવી છે કે જ્યાં સ્વામી વિવેકાનંદે પ્રવાસ કર્યો હતો. આ આઠેય જગ્યાએ સરકારે સ્વામી વિવેકાનંદ મઠ બનાવવાનું નક્કી કર્યું છે.
સ્વામી વિવેકાનંદના વિચારો ફેલાવવાનો હેતુ
ભુપેન્દ્ર પટેલ સરકારે પહેલીવાર આ સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવાનો વિચાર કરી પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ માટે પ્રવાસન વિભાગે કવાયત હાથ ધરી દીધી છે. પ્રવાસન વિભાગે પ્રેઝેન્ટેશન પણ તૈયાર કરી દીધું છે. કચ્છ-સૌરાષ્ટ્રના જુદા-જુદા આઠ સ્થળોએ વિવેકાનંદ સર્કિટ અંતર્ગત વિકાસ કાર્યો કરવામાં આવશે. પરિણામે સ્વામી વિવેકાનંદના વિચારોનો ફેલાવો થશે અને પ્રવાસનનો પણ વિકાસ થશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Swami Vivekananad Life, Swami vivekanand, Swami Vivekananda