Monday, January 16, 2023

Ahmedabad: No Tea In Plastic Or Paper Cup From Today In Ahmedabad Know The Reason

Ahmedabad News:  અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા પીવા નહીં મળે. અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના ચા ના કપ પર રોક લાગશે. દસ દિવસ સુધી નોટિસ આપ્યા બાદ AMC દ્વારા ચેકીંગ કરાશે. એક દિવસના 20 લાખથી વધુ પ્લાસ્ટિક અને કાગળના કપ કચરામાં આવતા હોવાથી નિર્ણય કરાયો છે.

એકમ સીલ કરવા સુધીની AMC ની તૈયારી

પ્રતિબંધિત પ્લાસ્ટિકના કપ, કાગળના કપ અને અનેક વખત કેચપીટમાં કપ ફસાતા હોવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 10 દિવસ બાદ પાનના ગલ્લાઓ ઉપર ચેકીંગ હાથ ધરાશે. મસાલા માટે અપાતા પ્લાસ્ટિક અને કાગળના ઉપયોગ સામે પણ કાર્યવાહી કરાશે. આજથી ચા ના કપમાં ચા અને કોફી આપતા વેપારીઓના એકમ સીલ કરવા સુધીની AMC ની તૈયારીઓ છે. માટી અથવા કાચના કપમાં ચા મળશે. આજે સાંજે 4 વાગ્યા બાદ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે.

અનૈતિક સંબંધ રાખવા મુદ્દે થઈ માથાકૂટ, પૂર્વ પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

live reels News Reels

રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક સંબંધ રાખવા મુદ્દે પૂર્વ પ્રેમી અને પ્રેમિકામાં માથાકૂટ થઈ હતી. જે બાદ પૂર્વ પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમિને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક યુકને દોઢ વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાયો હતો. જેને થોડા સમય પહેલાં તોડી નાંખ્યો હતો.  બાદમાં પૂર્વ પ્રેમિકાએ અન્ય યુવક સાથે મૈત્રી કરાર કર્યો હતો.

શું છે મામલો

રાજકોટના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં ઉત્તરાયણની સાંજે પ્રેમ સંબંધના કિસ્‍સામાં કોઠારીયા રોડ હુડકો ક્‍વાર્ટરના હિરેન જાદવ પર તેની પૂર્વ પ્રેમિકા જ્યોત્સના અને પ્રેમિકાના હાલના પ્રેમી પરસોતમે છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ યુવાનનું રવિવારે સવારે મોત નીપજતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો હતો. હુમલો કરનાર અને તેના બે મિત્રો વિરૂદ્ધ પણ આજીડેમ પોલીસે જ્યોત્સનાની ફરિયાદ પરથી હત્‍યાની કોશિશનો ગુનો નોંધ્‍યો હતો. જ્યોત્સનાએ ફરિયાદમાં એવું જણાવ્‍યું હતું કે, પોતે હવે સંબંધ રાખવા ઇચ્‍છતી ન હોવા છતાં અગાઉનો હિરેન ધરાર અનૈતિક સંબંધ રાખવા કહેતો હોઇ માથાકૂટ થઇ હતી. એ કારણે તેણે મારા હાલ હું જેની સાથે કરારથી રહું છું તે પરસોતમ પર હુમલો કર્યો હતો.

હિરેન જાદવ સ્‍કૂલવેન ચલાવતો હતો. તેને દોઢેક વર્ષ પહેલા જ્‍યોત્‍સના સાથે પ્રેમ સંબંધ હતો. હિરેને થોડા સમય પહેલા પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. જે બાદ જ્‍યોત્‍સના પરષોત્તમ સાથે મૈત્રીકરારમાં રહેતી હતી. હિરેનને આ પસંદ ન હોઇ માથાકૂટ ચાલતી હતી.  ઉત્તરાયણના દિવસે બોલાચાલી થતાં પરષોત્તમે છરીનો ઘા હિરેનને પેટમાં મારી દીધો હતો. તેમજ બીજા ઘા પણ માર્યા હતાં. લોકો ભેગા થઇ ગયા હતાં અને હિરેનના ભાઇ કાનાને બોલાવતાં તે આવી ગયો હતો અને હિરેનને હોસ્‍પિટલમાં ખસેડ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.