Friday, January 13, 2023

As a result of the new education policy, 3 lakh children of Gujarat will not be able to get admission in class 1!

featured image

https://images.news18.com/static-guju/uploads/2022/11/Untitled-design-27-167360104716×9.jpg

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિના પગલે આગમી 2023-24ના શૈક્ષણિક વર્ષમાં સમગ્ર ગુજરાતમાંથી 3 લાખ જેટલા બાળકોને ધોરણ એકમાં પ્રવેશ નહીં આપી શકાય. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 31 મે, 2017 સુધી જન્મેલા બાળકોને જ ધોરણ એકમાં પ્રવેશ આપવા આવશે. જો આ મામલે છૂટછાટ નહીં આપવામાં આવે તો ગુજરાતમાં 3 લાખ જેટલા બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ નહીં મેળવી શકે.

નિયમમાં થોડી છૂટછાટ આપવા માટે રજૂઆત

આ સમગ્ર મામલે જાગૃત એક જાગૃત વાલી દ્વારા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રના આધારે પ્રફુલ પાનસુરીયા દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખી આ નિયમમાં થોડી છૂટછાટ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત છ વર્ષમાં થોડા મહિના ઘટતા હોય તો બાળકને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ મેગા ડ્રાઇવ, અઠવાડિયામાં 762 સામે ગુના દાખલ, 316ની ધરપકડ

પત્રમાં શું લખ્યું?

આ પત્રમાં ધોરણ 1ના વિદ્યાર્થીની પ્રવેશ પ્રક્રિયા માટે નિયત વયમાં છૂટછાટ અંગે જણાવવામાં આવ્યું છે. સાથે જ લખવામાં આવ્યું છે કે, મને વડોદરા, ગુજરાતના પેરેન્ટ્સ ગ્રુપ તરફથી 26 ડિસેમ્બરના રોજ એક અરજી મળી હતી. તેમણે તેમના બાળકો માટે નવેમ્બર/ડિસેમ્બર 2019માં શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પ્રવેશ મેળવ્યો છે. તેમણે JSSS-પુષ્ટિ પણ કરી કે તેમના બાળકો શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ-1માં સ્થાનાંતરિત થવાના છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ. 2009 હેઠળના ઠરાવ પછી, વિદ્યાર્થી માટે 1લા ધોરણમાં પ્રવેશની ઉંમર હવે સૂચના (નં.GH/SH/04/PRE/122019/Single File-21/K, Dt.31/) સાથે બંધાયેલ છે. 01/2020 બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-2009 હેઠળ). આથી વાલીઓને આ ઠરાવ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, શાળાઓએ 31 મે, 2017 પછી જન્મેલા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે અને તેમને એક વર્ષ માટે પુનરાવર્તન કરવાનો અથવા એક વર્ષ માટે ડ્રોપ લેવાનો વિકલ્પ ઓફર કર્યો છે. વાલીઓએ તેમના બાળકોની તરફેણમાં ન્યાય માટે વિનંતી કરી છે. કારણ કે તેમના માટે વય માપદંડ પર સરકારના ઠરાવ પહેલા પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ 1માં પ્રવેશ. હું તમને વિનંતી કરું છું કે તમે આ બાબતે તપાસ કરો અને શક્ય હોય તેટલું જરૂરી કરો.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Gujarat News

Related Posts: