કોચ દ્રવિડે શું કહ્યું?
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે “છેલ્લા વર્ષમાં મને ઋષભ પંતને નજીકથી રમતા જોવાનો લહાવો મળ્યો છે અને તેણે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં યાદગાર એવી કેટલીક મહાન ઈનિંગ્સ રમી હતી. હું જાણું છું કે તમે ફાઈટર છો, તમારી પાસે એવું કેરેક્ટર છે, હું જાણું છું કે તમે આમાંથી પાછા ફરશો.”
ભારતીય ક્રિકેટ ટીમ 3 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રીલંકા સામેની આગામી T20Iની તૈયારીમાં વ્યસ્ત છે. વરિષ્ઠ ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને T20I શ્રેણીમાંથી બહાર થયા હતા. હાર્દિક પંડ્યા T20Iનું નેતૃત્વ કરશે જ્યારે રોહિત શર્મા વનડે શ્રેણીની આગેવાની કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Hardik pandya latest news, Rishabh pant, Team india, ક્રિકેટ