ગુજરાત રાજ્યમાં શિયાળુ કઠોળ વર્ગના પાકોમાં ચણા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે રાજ્યમાં અંદાજે ૧.૫૦ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે અને તેનું સરેરાશ ઉત્પાદન અંદાજે ૮૮૫ કિલોગ્રામ મળેલા છે.
ગુજરાતમાં ચણાનું મોટાભાગનું વાવેતર ચોમાસાનાં સંગ્રહાયેલા ભેજ આધારિત બિન પિયત પાક તરીકે મુખ્યત્વે અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લા હેઠળના ભાલ વિસ્તારમાં અને જૂનાગઢના ઘેડ વિસ્તારમાં જ્યારે બહુ જ થોડા વિસ્તારમાં પિયત ચણાની ખેતી કરવામાં આવે છે. પરંતુ ચણા જાતની અગત્યતા જોતા અને તેના મૂલ્ય વર્ધિત મહત્વ જોતા આ પાક દાહોદ, પંચમહાલ, ભરુચ, નવસારી, ખેડા અને વડોદરા જિલ્લામાં તેનું વાવેતર શરૂ થયું છે અને વર્ષો વર્ષ વાવેતર વિસ્તાર વધતો જાય છે.
તળાજા તાલુકામાં ગત વર્ષ કરતાં આ વર્ષે વાવેતર વધ્યુ
તળાજા તાલુકામાં ચાલુ સાલ સાનુકૂળ વરસાદને કારણે તાલુકામાં જળાશયો અને ભુગર્ભ પાણીની સ્થિતિ ખુબજ સારી હોય ગત વર્ષનાં કુલ 34,976 હેકટરનાં રવિ કરતા ચાલુ સાલ 36,677 વાવેતર હેક્ટરનુ વાવેતર થયેલ છે જેમાં ઘઉં 7,891, ચણા 6,352 હે., ડુંગળી 10,461 હે. ઘાંસચારો 9,099 હે. નો મુખ્યત્વે રહ્યું છે.
પિયત જમીનમાં ચણાની ખેતી
ગોરાડુ, રેતાળ જ્મીન ચણાની ખેતી માટે યોગ્ય છે. ચોમાસુ પાકની કાપણી કરી, ઓરવણ કરવું, વરાપ થાય પછી ખેડ કરી જમીન તેયારી કરી વાવણી કરવી.
બિયારણનો દર: ૫૦ થી ૬૦ કિ.ગ્રા. / હે.
વાવણી અંતર: બે હાર વચ્ચે ૩૦ સે.મી.
રાસાયણીક ખાતર: પાયાના ખાતર તરીકે ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન હે. અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ / હે. આપવો. ચણાના પાકને પૂર્તિ ખાતરની જરૂરિયાત નથી, કારણ કે ચણાના મૂળમાં રાઈઝોબિયમ જીવાણું હોવાથી, તેથી છોડ પોતે જ હવામાં નાઈટ્રોજન તેના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગ કરે છે. વધારાનો નાઈટ્રોજન આપવાથી છોડની વૃદ્ધિ વધારે પડતી થાય અને ફૂલો મોડા બેસે છે અને ખર્ચ પણ વધે છે.
બિનપિયત જ્મીનમાં ચણાની ખેતી
વધારે ભેજ સંગ્રહ શક્તિવાળી , કાળી, મધ્યમ કાળી કાંપવાળી ચોમાસુ પાકની કાપણી કરી, તરત જ જમીન ખેડી પછી પાટ (સમાર) મારી વાવણી કરવી જેથી ભેજની માત્રા જળવાઈ રહે છે અને બીજનો ઉગાવો સારો થાય છે.
તમારા શહેરમાંથી (ભાવનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર