અમિત શાહ જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી અમદાવાદ અને કલોલમાં ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. કલોલમાં તેઓ પૌરાણિક મંદિર શ્રી કપિલેશ્વર મહાદેવમાં શીશ ઝુકાવવાના છે. અમિત શાહ અહીં પંચવટી વિસ્તારમાં આવેલા સ્નેહગ્રીન ફ્લેટના ધાબા પરથી પતંગ ચગાવશે. અમિત શાહના આગમન પહેલા કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર સહિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. શાહના આગમન પહેલા અહીં વિવિધ તૈયારીઓ કરી રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતનું એવું ગામ કે જ્યાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે, નિયમ તોડનારને થાય છે દંડ
ધારાસભ્ય બકાજી ઠાકોરે પણ અમિત શાહના કાર્યક્રમ અંગે વાત કરતા જણાવ્યું કે તેઓ પહેલા મહાદેવના દર્શન કર્યા બાદ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરવાના છે.
માનવામાં આવે છે કે આજે સવારે પહેલા તેઓ વેજલપુરમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે અને તે પછી ઘાટલોડિયા જવાના રવાના થશે. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહી શકે છે. અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે શુક્રવારે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aamit shah, Amit shah Ahmedabad Visit, Gujarati news, Uttarayan, અમિત શાહ, ઉત્તરાયણ