સારા ફોર્મ માટે સંઘર્ષ કરી રહેલો અય્યર હવે વધુ એસેસમેન્ટ અને મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં જશે. શ્રેયસની ઇજાની માહિતી આપતા બીસીસીઆઈના સચિવ જય શાહે નિવેદનમાં જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરને પીઠની ઈજાને કારણે ન્યુઝીલેન્ડ સામેની આગામી 3 મેચની વનડે શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
વનડે અને આઇપીએલ રમી ચૂક્યો છે રજત
આ સાથે ડોમેસ્ટિક સર્કિટમાં મધ્યપ્રદેશ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા રજત પાટીદારને શ્રેયસ અય્યરના સ્થાને ન્યૂઝીલેન્ડ સામે તક આપવામાં આવી છે. પાટીદાર અગાઉ છેલ્લી કેટલીક શ્રેણીઓમાં વનડે ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આ વર્ષે તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લી 10 ઇનિંગ્સમાં 368 રન બનાવ્યા હતા, જે પછી રણજી ટ્રોફીમાં પણ પાટીદારે શાનદાર બેટિંગ કરી હતી.
આઈપીએલમાં બેંગ્લોર તરફથી રમતી વખતે રજત પાટીદારે જોરદાર પ્રદર્શન કર્યું હતું. પાટીદારે ગયા વર્ષે 12 મેચની 11 ઇનિંગ્સમાં 40.4ની એવરેજથી 404 રન બનાવ્યા હતા, જેમાં તેણે પ્લેઓફમાં શાનદાર સદી પણ ફટકારી હતી, તે સમયે પાટીદાર વિરાટ કોહલી તેની સાથે બેટિંગ કરી રહ્યો હતો અને અને વિરાટે તેના વખાણ કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં જન્મેલો ક્રિકેટર 499 રને થયો રનઆઉટ! 16 કલાક મેદાન પર ઊભો રહ્યો પણ એક ભૂલ ભારે પડી
સૂર્યાને ટીમમાં સ્થાન મજબૂત કરવા મળશે મોટી તક
ઐય્યરે પોતાની છેલ્લી ત્રણ મેચમાં અનુક્રમે 28, 28 અને 38 રન બનાવીને આઉટ થયો હતો. અય્યરની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે તક મળી શકે છે. મિડલ ઓર્ડરમાં તોફાની ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની સાથે સૂર્યા પણ બેક-એન્ડ પર તાકાત વધારશે.
આ પણ વાંચો: Babar Azam VIDEO: પાકિસ્તાની ક્રિકેટરના કાંડ, સેક્સ ચેટ પહેલા પણ કંઇ બાકી નથી રાખ્યુ, જોઈ લો
ન્યૂઝીલેન્ડ સામેની ભારતની અપડેટેડ વન-ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કે.એસ.ભરત (વિકેટકીપર.), હાર્દિક પંડયા (વાઈસ કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Shreyas iyer