ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલે તેમને બ્રેનડેડ જાહેર કર્યા
સુરત શહેરના બમરોલી વિસ્તારની હિરાનગર સોસાયટીમાં રહેતા 62 વર્ષીય મંજુબહેન પ્રમોદસિંગ ઉત્તરાયણ પર્વ આવતું હોવાથી તારીખ 12મી જાન્યુઆરીના રોજ તેમના બહેનને ત્યાં તલના લાડુ બનાવવા ગયા હતા. જયાં તેમને અચાનક ચક્કર આવી જતા બેભાન હાલતમાં નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા. વધુ સારવાર માટે મંજુબહેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અહીં પ્રેશર વધવાને કારણે બ્રેન હેમરેજ થયાનું નિદાન થયુ હતું. બે દિવસની સઘન સારવાર બાદ આજે મોડી રાત્રે ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલે તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા.આ પણ વાંચો: 5 ભારતીયો સહિત તમામ લોકોના મોતની આશંકા, પ્લેનમાં સવાર હતા કુલ 71 લોકો
માનવતાનું ઉત્તમ ઉદાહરણ
સિવિલની ટીમે તેમના પરિવારજનોને ઓર્ગન ડોનેશન વિશે જાણકારી આપી અન્યોના જીવન બચાવી શકાય છે, તેમ સમજાવતા તેઓ અંગદાન કરવા સહમતિ દર્શાવતા આજે વહેલી સવારે અમદાવાદની સોટોની ટીમ બે કિડની અને લિવરનું દાન સ્વીકારી રવાના થઈ હતી. આમ, સિંગ પરિવારે ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયક, ડો.ઓમકાર ચૌધરી, ડો. નિલેશ કાછડિયા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફની હાજરીમાં અંગોનુ દાન કરાયુ હતું.
આ પણ વાંચો: જમાલપુરમાં મસ્જિદ પાસે દારૂ પીવાની ના પાડનારા યુવકની બે શખ્સોએ હત્યા કરી નાખી
અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું
આમ, સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. જેમા સિવિલ હોસ્પિટલના ડોકટરો સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે આજે 13મું અંગદાન થયુ છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં અનેક લોકો દ્વારા અંગદાન કરવામાં આવ્યા છે. આ પહેલા પણ સુરત શહેરમાં અનેક લોકોને અંગદાન કરવા માટે પ્રોત્સાહન આપતા અનેક પરિવાર પોતાના સ્વજનનું અંગદાન કરવા માટે તૈયાર થયા છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Organ donation, Organ Donation in Surat, Surat news, ગુજરાત