Sunday, January 15, 2023

અમદાવાદ વ્યાજખોર બિલ્ડર રાકેશ શાહ આપઘાતનો પ્રયાસ

અમદાવાદ: શહેરમાં વ્યાજખોરોનાં ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે. સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા બિલ્ડરે ધંધાકીય કામ માટે આઠ લોકો પાસેથી કરોડો રૂપિયા લીધા હતા. ફરિયાદી રાકેશ શાહે લાખોની સામે કરોડો રૂપિયા આપ્યાં છતાં આ વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હતો. આ લોકોએ પરિવારને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. જેથી બિલ્ડર ઘર છોડીને હોટલમાં રહેવા લાગ્યો હતો. તે છતાંપણ ઘાકઘમકી ચાલુ રહેતા વેપારી બિલ્ડરે ઉંઘની દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પણ તેમને ધમકીઓ મળતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાકેશ શાહ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે

સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા રાકેશ શાહ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેમની ઓફિસ સેટેલાઇટ રાહુલ ટાવરમાં આવેલા અરીસ્તા બિઝનેસ હબમાં છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના જુના મિત્ર સંગમ પટેલ પાસેથી એપ્રિલ 2020થી અત્યાર સુધી કામ માટે રૂપિયા 13.65 કરોડ જેટલી રકમ લીધી હતી. જેની સામે માસિક દોઢ ટકા વ્યાજ નક્કી કરાયું હતું. જોકે, થોડા સમય બાદ સંગમ પટેલે માસિક 10 ટકા વ્યાજ માંગ્યું હતુ અને જોતે નહીં આપે તો એક ટકા પેનેલ્ટી લેવાની વાત કરી હતી. જેથી રાકેશ શાહે અન્ય વ્યક્તિ પાસેથી સાત કરોડ જેટલી રકમ ચુકવી આપી હતી. જ્યારે બાકીના 6.62 કરોડ રૂપિયા બાદમાં ચુકવી આપવા માટે કહ્યું હતું. પરંતુ, સંગમ પટેલે 24 કરોડ રૂપિયાની માંગણી કરીને અનેક ધમકીઓ આપી હતી.આ પણ વાંચો: કાર ચોરી કરવાની ચોરોની રીત જોઇને પોલીસ પણ ખંજવાળવા લાગી માથું

વ્યાજની ટકાવારી વધારી દીધી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાકેશ શાહે અર્પિત શાહ પાસેથી એપ્રિલ 2020ના રોજ 18 લાખ રૂપિયા લીધા હતા. જેમાં અર્પિત શાહે 10 ટકા વ્યાજની માંગણી કરી હતી અને કુલ રોકાણની સામે 79 લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. તે છતાંપણ ખોટા હિસાબ દર્શાવીને રૂપિયા 12 કરોડની ઉઘરાણી માંગી હતી અને ધમકી આપી હતી. ત્યારબાદ ધંધાના કામે નાણાંની વધુ જરૃરિયાત ઉભી થતા રાકેશ શાહે અસ્પાલભાઇ શાહ અને દીગપાલભાઇ શાહ પાસેથી 7.96 કરોડ જેટલી રકમ લીધી હતી. જેમાં માસિક દોઢ ટકા વ્યાજ નક્કી કર્યું હતું.

હત્યા કરવાની પણ આપી હતી ધમકી

થોડા સમય બાદ માસિક 10 ટકા વ્યાજ ગણીને ઉઘરાણી શરૂ કરી હતી. જેથી રાકેશ શાહે બીજી વ્યક્તિઓ પાસેથી ઉધાર નાણાં લઇને 2.57 કરોડ રૂપિયા ચુકવી આપ્યા હતા. તેમ છંતાય, કુલ 25 કરોડની રકમ બાકી છે તેમ કહીને માંગણી શરૂ કરી હતી. જે બાદ જુન 2021થી રાકેશભાઇએ અશોક ઠક્કર સાથે સંકળાયેલા અનેક લોકો પાસેથી ચાર કરોડ રૂપિયા લીધા હતા. જેમાં મોટાભાગના નાણાંની ચૂકવણી થઇ હોવા છંતાય, 50 કરોડની ઉઘરાણી શરૂ કરી હતી અને ધમકી આપી હતી કે નાણાં નહી આપે તો હત્યા અકસ્માત મોતમાં ખપાવી દઇશું.

આ પણ વાંચો: આ કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ

ખાનગી હોસ્પિટલમાં સારવાર

આ ઉપરાંત રાકેશ શાહે ચેતન પાસેથી આઠ કરોડ જેટલી રકમ લીધી હતી. જેની સામે 30 કરોડની માંગણી કરવામાં આવી હતી. તેમજ પકંજભાઇ પારેખ પાસેથી તેમણે ડિસેમ્બર 2021 બાદ કુલ 4.74 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. જેની સામે 42 કરોડની ઉધરાણી બાકી હોવાનું કહીને ધમકી આપી હતી. તેમજ લક્ષ્મણ વેકરિયા પાસેથી 75 લાખ લીધા હતા. જેની સામે એક કરોડની ચુકવણી થઇ હોવા છંતાય, પાંચ કરોડની રકમ બાકી હોવાનું કહીને નાણાંની માંગણી કરી હતી. આ તમામ ધમકીઓથી કંટાળીને રાકેશ શાહે હોટલ એપલ ઇનમાં જઇને ઉંઘની દવા પી લીધી હતી. જે બાદ તેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં થઇ રહી હતી. જ્યાં આવીને પણ વ્યાજખોરોએ ધમકી આપી હતી કે, તારી કિડની વેચીને પણ અમે નાણાંની વસૂલી કરીશું. જેથી રાકેશ શાહે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, ગુજરાત

Related Posts: