જમાલપુરમાં રહેતી સાજીયાબાનુ પઠાણ નામની મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ગઈકાલે સાંજના 6:30 વાગ્યાની આસપાસ તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમના ઘરની પાસે આવેલી ખાનજાન મસ્જિદ પાસે બૂમાબૂમ થતા તેઓ ઘરની બહાર ગયા હતા. ત્યાં રમતા છોકરાઓએ તેમને જાણ કરી હતી કે ફિરોજભાઈને મસ્જિદ પાસે નહીમ અને કરીમ સાથે મારામારી થઈ છે.
આ પણ વાંચોઃ પાડોશી ચોકલેટની લાલચે 6 વર્ષની છોકરીને અવાવરું જગ્યાએ લઈ ગયો, હત્યા કરી નાખી!
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આ ઘટના વિશે જાણવા મળતા સાજીયાબાનું તાત્કાલિક છોકરાઓએ જણાવ્યા પ્રમાણેની જગ્યાએ પહોંચ્યા હતા અને જોયું તો આ બંને આરોપીઓ ફિરોજ ખાન સાથે મારામારી કરતા હતા. અને તેમની પાસે રહેલ છરીથી ફિરોઝ ખાનને પેટમાં તેમજ શરીરના અન્ય ભાગે છરીના ઘા મારવા લાગ્યા હતા. ફરિયાદીના પતિ પણ ત્યાં આવી પહોંચતા તેઓ ઝઘડામાં વચ્ચે પડયા હતા.
ઝઘડાને શાંત પાડવા માટે અને છરી લઈને આવેલા શખ્સોને દૂર કરવાની કોશિશમાં ફરિયાદીના પતિ પણ ઘાયલ થયા છે, બંને આરોપીઓએ સાજીયાબાનુના પતિને પણ જમણી આંખની ઉપર તેમજ ડાબા હાથના કાંડાના ભાગે છરીના ઘા મારી દીધા હતા. બૂમાબૂમ થતા આસપાસના સ્થાનિક રહેવાસીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
આ હુમલામાં ઘાયલ થયેલા બન્નેને લઈને સાજીયાબાનું તાત્કાલિક 108 મારફતે એલજી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમના જેઠ ફિરોઝ ખાને તેમને જણાવ્યું હતું કે સાંજના સમયે મસ્જિદ પાસે આરોપીઓ તેમના મિત્ર સાથે દારૂ પી રહ્યા હતા. જેથી તેઓ એ મસ્જિદ પાસે દારૂ પીવાની ના પાડતા ઝઘડો થયો હતો અને મારા મારી થઈ હતી.
હુમલાની ઘટના વિશે પોલીસને માહિતી મળતા કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને મામલે અત્યારનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police, Jamalpur, અમદાવાદ પોલીસ, અમદાવાદના સમાચાર