Sunday, January 15, 2023

ઉત્તરાયણ પર શાહપુરમાં પથ્થરમારો થયાની ખોટી જાણ કરનાર યુવક સામે શાહપુરમાં ફરિયાદ નોંધાઈ | A complaint was registered in Shahpur against a youth who falsely reported stone pelting in Shahpur on Uttarayan

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/fkjzhigaaaedbse_1673798716.jpg

અમદાવાદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉત્તરાયણમાં પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે એક યુવકે કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી કે શાહપુરમાં પથ્થરમારો થયો છે. જેથી શાહપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી પરંતુ ત્યાં જઈને તપાસ કરતા કોઈ જ પથ્થરમારો થયો નહતો કે અન્ય પણ કોઈ બનાવ બન્યો નહતો. જેથી કંટ્રોલરૂમમાં ફોન કરનાર વ્યક્તિએ ખોટો મેસેજ આપ્યો હતો જેને લઈને શાહપુર પોલીસે ફોન કરનાર વ્યક્તિ વિરુદ્ધ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો કોઈ બનાવ ન બન્યો હતોશાહપુરમાં આવેલા દેવજી કુંભારના ડહેલામાં પથ્થરમારો થયા હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. કંટ્રોલ રૂમે આ મેસેજ શાહપુર પોલીસને આપ્યો હતો. જેથી શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ પી.સી દેસાઈ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર જઈને તપાસ કરી તો કોઈ જ બનાવ બન્યો નહતો.

પોલીસે ખોટો મેસેજ કરનાર સામે કેસ કર્યોપોલીસને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. જેથી પોલીસે ફોન કરનાર વ્યક્તિના મોબાઈલ નંબર આધારે તપાસ શરૂ કરી ત્યારે જગમલ નામના વ્યક્તિએ ખોટો મેસેજ કર્યો હોવાનું જાણ થતાં શાહપુર પોલીસે જગમલ વરાદીયા નામના વ્યક્તિ વિરુદ્ધ પોલીસનો ખોટો મેસેજ આપવા બદલ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: