https://images.bhaskarassets.com/web2images/960/2023/01/18/38_1674024574.jpg
રાજકોટ19 મિનિટ પહેલા
કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત
રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલમાં ગઈકાલે ધો.8ની વિદ્યાર્થીનીનું કડકડતી ઠંડીના કારણે મોત થવાના મામલે કોંગ્રેસે દુઃખ વ્યક્ત કરતા સરકારી તંત્ર અને સ્કૂલ મેનેજમેન્ટ પર આકરા પ્રહાર કર્યા હતા.
તો બાળકી કદાચ હયાત હોત!
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીનીના વાલીઓએ કડકડતી ઠંડીમાં સ્કૂલના વહેલા સમય અને સ્કૂલનું ફરજીયાત સ્વેટર જ પહેરવાના નિયમના લીધે પોતાનું બાળક ગુમાવ્યાનો વસવસો વ્યક્ત કર્યો તેનો સીધો મતલબ એ થયો કે કલેક્ટરેટ તંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્કૂલ મેનેજમેન્ટઆ બાળકીના મોતના જવાબદાર છે. જો સરકારી તંત્રએ કોલ્ડવેવની આગાહી સમયે જ સ્કૂલોના સમય ફેરફાર અને તેના પર અમલીકરણ સ્કૂલો કરે કે નહિ તેના પર ધ્યાન દીધું હોત તો આ બાળકી કદાચ આજે હયાત હોત!

મૃતક વિદ્યાર્થીની-ફાઈલ તસવીર
આ ત્રાસ શરમજનક છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટની અનેક ખાનગી સ્કૂલો, પ્રિ-સ્કૂલો, કોલેજો કડકડતી ઠંડીમાં પણ ડ્રેસ કોડ અને સમય બાબતે પોતાની મનમાની ચલાવે છે અને બાળકોને મજૂબર બની મૂંગા મોઢે ત્રાસ સહન કરવો પડે છે તે શરમજનક છે. સરકારે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આ મામલે રિપોર્ટ મંગાવવાના નાટક કરે વાલીઓને ગેરમાર્ગે દોરવા કરતા તપાસ કમિટી રચી જવાબદારો સામે વિદ્યાર્થિનીના મોત મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ થતી અટકે. ઠંડી માં સ્કૂલોનો સમય અને ડ્રેસ કોડ બાબતે સ્કૂલ સંચાલકો મનમાની કરતા રહેશે તો કોંગ્રેસ તેવી સંસ્થાઓ સામે વિદ્યાર્થીઓ માટે હલ્લાબોલ કરશે.