Dharmaj will celebrate 17th Dharmaj Day with tricolor theme and cuisine from Miletus – News18 Gujarati

Salim chauhan, Anand: પેટલાદ તાલુકાના ધર્મજ ગામે છેલ્લા 16 વર્ષથી યોજાતા ધર્મજ ડેના આ પ્રસંગે મોટી સંખ્યામાં એનઆરઆઈઓ આવતા હોય છે. આ વર્ષે 17 મો ધર્મજ ડે ઉજવવાઈ રહ્યા છે ત્યારે એનઆરઆઈમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ધર્મજ ગામનાં લોકો મોટી સંખ્યામાં વિદેશમાં વસવાટ કરે છે અને દર વર્ષે  ધર્મજ ડેના દિવસે ભેગા થતાં હોય છે.

2007થી ધર્મજ ડેની ઉજવણી કરાય છે. ચરોતરના પેરિસ ગણાતા ધર્મજ ગામમાં 2007થી ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં હજારો લોકો જોડાયાં છે. આ પ્રસંગની સફળતા માટે દુનિયાભરમાંથી ધર્મજીયનો સહભાગી બને છે. વધુમાં સ્થાનિક રહેતા વતનીઓ તો સમયદાન પણ આપી આ અભિનવ પ્રયોગને વધુ અર્થપુર્ણ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે.

આજે યોજાનાર ધર્મજ ડે માં તિરંગા રંગની થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. આ અંગે રાજેશ પટેલે જણાવ્યું હતું કે, 12મી જાન્યુઆરી 2023 ગુરુવારે સાંજે 5 વાગ્યાનાં સમયે ધર્મજ ડે ની ઉજવણી જલારામ મંદિરનાં ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી છે. જેમાં એક હજારથી વધુ વિદેશમાં વસતા ધર્મજનાં લોકો આવશે જેમાં પ્રધાનમંત્રીના અનુરોધ મુજબ યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ 2023ને “ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જેથી“ધર્મજ ડે”માં પધારનારા મહેમાનોને રાત્રી ભોજનમાં મિલેટસની વાનગીઓ પીરસવામાં આવશે.

આ દિવસે ધર્મજ ખાતે આર્થિક સમૃદ્ધિ વધવા સાથે લોકોની સ્વાસ્થ્ય સંપદા પણ જળવાય માટે મિલેટસની વાનગીઓ પીરસવામાં આવશે.મિલેટ્સ એટલે કે આપણા પરંપરાગત જાડા ધાન્યમાં આયર્ન તથા અન્ય ફાયદાકારક તત્વો વધારે હોઈ તેના ઉપયોગથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ભારત દેશ જાડા ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. જેની નિકાસ વધે તો દેશના ધરતીપુત્રો પણ ફરી એક વખત બાજરી,બાવટો,જુવાર,રાગી અને કોદરી જેવા પાકો તરફ પાછા વળ્યાં છે.

જેના કારણે ખેડૂતની આર્થિક સમૃદ્ધિ વધવા સાથે લોકોની સ્વાસ્થ્ય સંપદા પણ જળવાય. આ કાર્યક્રમની સાથે સાથે વલ્લભ વિદ્યાનગરની એસ.એમ.પટેલ કોલેજ ઓફ હોમસાયન્સના સહયોગથી મિલેટસ અંગે પુન: જાગૃતિ આવે તથા તેની પોષણક્ષમતા વિશે લોકો જાણતા થાય તે માટે એક સેમિનારનું આયોજન પણ થઇ રહ્યું છે.આ પ્રસંગ માં મુખ્ય વક્તા તરીકે નરેશભાઈ વૈદ ને બોલાવશે જેમાં ડો. નરેશભાઈ વેદ–પૂર્વ કુલપતિ વતનનો ઝુરાપો વિષય પર વ્યક્તવ્ય આપશે.

વિવિધ ધર્મજીયોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવશેઆ વર્ષે ધર્મજ ગૌરવથી સન્માનિત થનારા મહાનુભાવોમાં વલ્લભ વિદ્યાનગરના કુશળ વહીવટકર્તા ધર્મજીયન મહેન્દ્રભાઈ જશભાઈ પટેલ (બાબાકાકા) તથા લંડન સ્થિત કેતનભાઈ વિનુભાઈ પટેલ કે જેઓ આફ્રિકા અને બ્રિટન ખાતે મોટા ગજાના ઉદ્યોગપતિ હોવા સાથે સમયે સમયે વતન માટે દાનની સરવાણી વહેડાવતા રહે છે. યુવા પ્રતિભાને અપાતા ધર્મજ જ્યોત સન્માન માટે રિશી કેતનભાઈ બીન ભુપેન્દ્રભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. મૂળ ધર્મજના વતની એવા રિશી પટેલ ઉગતી પ્રતિભા સમા ઈંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ પ્લેયર છે.જેવો ને સન્માનીત કરવામાં આવશે.

આ દિવસે દાતાઓના સહયોગથી મુક્તિરથનું લોકાર્પણ કરાશેધર્મજ ગામ માટે જરૂરી અદ્યતન “મુક્તિરથ” (શબવાહિની)નું લોકાપર્ણ થશે. જે ધર્મજ ગામના તમામ નાગરિકોને ઉપલબ્ધ બનશે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસો થકી અંદાજિત રૂપિયા સાડા સાત લાખના ખર્ચે આ વાહન તૈયાર થઇ રહ્યું છે. જેના માટે નાઈસોલ મેન્યુંફેક્ચરીંગ કંપની તથા અન્ય વતનપ્રેમી એન. આર. ડી. (નોન રેસિડેન્સ ધર્મજીયન) દાતા દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

આજે  ધર્મજ ડે માં તિરંગા રંગની થીમને અનુરૂપ સુશોભન કરાયું છે સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સોશ્યલ મિડિયા પર થશે. જેથી પ્રત્યક્ષ ઉપસ્થિત રહેનારા મહેમાનો ઉપરાંત દેશ અને દુનિયાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઓન લાઈન પણ જોડાશે. જલારામ મંદિર ખાતે ધર્મજ ડે નાં દિવસે અલગ અલગ સ્ટોલ માં પ્રદર્શન પણ જોવા મળશે જેમાં જવેરાત જ્વેલર્સ, અને આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ જેવા સ્ટોલ એન આર આઇ નિહાળે તે માટે મૂકવામાં આવશે

આજે યોજાનાર કાર્યક્રમમાં 4:30 સાંજે બધા ધર્મજ નાં લોકો નું ગેટ ટુ ગેધર થશે ત્યાર બાદ એવોર્ડ થી ત્રણ લોકો ને સન્માનિત કરશે અને તે પછી મીલેટ્સ ની વાનગી પીરસવામાં આવશે ફરી પારિવારિક મનોરંજન માટે ગોર પાપડી નું નાટક યોજાશે આમ આ કાર્યક્રમ પૂર્ણ થશે.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Local 18, Tricolour

أحدث أقدم