
https://images.news18.com/static-guju/uploads/2023/01/vadodara-news-167359151316×9.jpg
શ્વાનના ત્રાસને કારણે બાળકો, વૃદ્ધો ઘર બહાર નીકળી શકતા નથી
રખડતા શ્વાને વૃદ્ધા પર હુમલો કરતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અહીં સોસાયટીમાં રખડતા શ્વાનના આતંકથી રહીશો ત્રસ્ત છે. રહીશોનું કહેવું છે કે, શ્વાનના ત્રાસને કારણે બાળકો, વૃદ્ધો ઘર બહાર નીકળી શકતા નથી. સાથે જ રખડતા શ્વાનની સમસ્યાના કાયમી ઉકેલની માગ પણ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, વારંવારની આવી ઘટનાઓ બાદ સવાલો ઉઠી રહ્યા છે કે, રાજ્યમાં રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ ક્યારે? લોકો પર જીવલેણ હુમલો, તંત્રની કાર્યવાહી ક્યારે? સુરત બાદ હવે વડોદરામાં આતંક, તંત્ર શું કરે છે? ખસીકરણની વાતો છતાં ત્રાસ કેમ યથાવત? રખડતા ઢોર બાદ હવે શ્વાનનો કેમ વધ્યો આતંક? રખડતા શ્વાનના આતંક સામે ક્યારે લેવાશે પગલાં?
આ પણ વાંચો: સુરત: પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો, 5માં માળેથી પટકાતા બાળકનું મોત
સુરતમાં શ્વાને નાની બાળકીને બચકું ભર્યું હતું
નોંધનીય છે કે, તાજેતરમાં જ સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારની છે. હંસ સોસાયટીમાં નાની બાળકીને ગાલ પર કૂતરાએ બચકું ભર્યું હતું. નાની બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કૂતરા દ્વારા નાની બાળકીને કારડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટનાને પગલે તાત્કાલિક કૂતરાને પકડવા અધિકારીને જાણ કરાઇ હતી. જે બાદ ટીમ દ્વારા કૂતરા પકડવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.
તમારા શહેરમાંથી (વડોદરા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Dog attack, Gujarat News, Vadodara