Monday, January 16, 2023

Including government representatives in the Supreme Court collegium Law Minister Kiren Rijiju

નવી દિલ્હી: કાયદા પ્રધાન કિરેન રિજિજુએ CJI DY ચંદ્રચુડને સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં સરકારના પ્રતિનિધિઓને સામેલ કરવા માટે પત્ર લખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારનું આ નવું પગલું કોર્ટમાં જજોની નિમણૂકના મામલે સામે આવ્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ CJIને પત્ર લખીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમમાં સરકારી પ્રતિનિધિઓને સામેલ કરવાનું સૂચન કર્યું છે. રિજિજુએ પોતાના પત્રમાં કહ્યું કે પારદર્શિતા અને જાહેર જવાબદારી વધારવા માટે આ જરૂરી પગલું છે.

કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ CJI DY ચંદ્રચુડને પત્ર લખીને દેશની ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની વર્તમાન પસંદગી પ્રક્રિયા પર અસ્પષ્ટતાના સતત આરોપો વચ્ચે 25 વર્ષ જૂના સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં સરકારી પ્રતિનિધિઓનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે. જેથી પારદર્શિતા અને જાહેર જવાબદારી વધારવા માટે દ્વિ-સ્તરીય કોલેજીયમ બનાવી શકાય.

કાયદા પ્રધાન કિરેન રિજિજુનો CJI DY ચંદ્રચુડને લખેલા પત્ર બંધારણીય હોદ્દા ધરાવતા લોકો દ્વારા સુપ્રીમ કોર્ટની ટીકાની શ્રેણીમાં નવીનતમ છે. આ લોકોમાં ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના સ્પીકરનો પણ સમાવેશ થાય છે, જેમણે વારંવાર સુપ્રીમ કોર્ટ (SC) પર વિધાનસભાના અધિકારક્ષેત્રમાં અતિક્રમણ કરવાનો આરોપ લગાવ્યો છે.

નોંધનીય બાબત એ છે કેકિરેન રિજિજુસુપ્રિમ કોર્ટની કોલેજિયમ સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવ અંગે લગભગ દોઢ મહિના પહેલા જાહેરમાં નિવેદન આપ્યું હતું. કાયદા પ્રધાન રિજિજુએ હવે સૂચન કર્યું છે કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓને સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં સામેલ કરવા જોઈએ અને સંબંધિત રાજ્ય સરકારોના પ્રતિનિધિઓને હાઈકોર્ટ કૉલેજિયમમાં સામેલ કરવા જોઈએ.

જેથી દેશની ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની પસંદગીની પ્રક્રિયા અપારદર્શક હોય છે, તેવી ધારણાને દૂર કરી શકાય. સુપ્રીમ કોર્ટના કેટલાક ન્યાયાધીશો પણ હાલની વ્યવસ્થાને યોગ્ય માનતા નથી.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદોઃ દીવાની વિવાદના મામલામાં ન લાગુ થઈ શકે SC/ST એકટ

Published by:Vrushank Shukla

First published:

Tags: Court case, Supreme Court, Supreme Court of India

Related Posts: