કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ CJI DY ચંદ્રચુડને પત્ર લખીને દેશની ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની વર્તમાન પસંદગી પ્રક્રિયા પર અસ્પષ્ટતાના સતત આરોપો વચ્ચે 25 વર્ષ જૂના સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં સરકારી પ્રતિનિધિઓનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે. જેથી પારદર્શિતા અને જાહેર જવાબદારી વધારવા માટે દ્વિ-સ્તરીય કોલેજીયમ બનાવી શકાય.
કાયદા પ્રધાન કિરેન રિજિજુનો CJI DY ચંદ્રચુડને લખેલા પત્ર બંધારણીય હોદ્દા ધરાવતા લોકો દ્વારા સુપ્રીમ કોર્ટની ટીકાની શ્રેણીમાં નવીનતમ છે. આ લોકોમાં ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના સ્પીકરનો પણ સમાવેશ થાય છે, જેમણે વારંવાર સુપ્રીમ કોર્ટ (SC) પર વિધાનસભાના અધિકારક્ષેત્રમાં અતિક્રમણ કરવાનો આરોપ લગાવ્યો છે.
નોંધનીય બાબત એ છે કેકિરેન રિજિજુસુપ્રિમ કોર્ટની કોલેજિયમ સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવ અંગે લગભગ દોઢ મહિના પહેલા જાહેરમાં નિવેદન આપ્યું હતું. કાયદા પ્રધાન રિજિજુએ હવે સૂચન કર્યું છે કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓને સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં સામેલ કરવા જોઈએ અને સંબંધિત રાજ્ય સરકારોના પ્રતિનિધિઓને હાઈકોર્ટ કૉલેજિયમમાં સામેલ કરવા જોઈએ.
જેથી દેશની ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની પસંદગીની પ્રક્રિયા અપારદર્શક હોય છે, તેવી ધારણાને દૂર કરી શકાય. સુપ્રીમ કોર્ટના કેટલાક ન્યાયાધીશો પણ હાલની વ્યવસ્થાને યોગ્ય માનતા નથી.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદોઃ દીવાની વિવાદના મામલામાં ન લાગુ થઈ શકે SC/ST એકટ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર