Sunday, January 15, 2023

જોશીમઠના સંકટ વચ્ચે અમદાવાદ પર ISROનો રિપોર્ટ, દર વર્ષે આટલું સેન્ટિમીટર શહેર જમીનમાં સમાય છે!

અમદાવાદઃ જ્યારે જ્યારે માણસ કુદરત વિરોધી કામ કરે છે ત્યારે ત્યારે કુદરત સામે તેટલું જ ખરાબ પણ કરે છે. પહાડો પર સ્થિત જોશીમઠ, નૈનીતાલ, શિમલા, ચંપાવત અથવા ઉત્તરકાશી જ નહીં પરંતુ દરિયાકિનારે વસેલા શહેરો પણ ડૂબી શકે છે. ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરે એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો હતો, જે હવે સામે આવ્યો છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારો દરિયાઈ ધોવાણને કારણે ડૂબી જશે તેવું જણાવવામાં આવ્યું છે.

ઇસરોએ રિસર્ચ કરી રિપોર્ટ બહાર પાડ્યો

ISRO સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રતિશ રામક્રિષ્નન અને તેમના સાથીઓએ મળીને આ સંશોધન પેપર બહાર પાડ્યું હતું. જેનું નામ છે – ‘Shoreline Change Atlas of the Indian Coast-Gujarat-Diu & Daman’. ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો દરિયાકિનારો સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. 110 કિલોમીટરનો દરિયાકિનારો કપાઈ રહ્યો છે. 49 કિલોમીટરના દરિયાકાંઠે ઝડપથી આ ઘટના બની રહી છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: New Research, Research, Research સંશોધન, Scientific research, ઇસરો


Related Posts: