નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંઝણા ગામની નાયકી વાડ ફળિયાની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 125 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને છ જેટલા શિક્ષકોનો સ્ટાફ છે. આ શાળાના ઓરડા જર્જરી થતા બે વર્ષ પૂર્વે આ જર્જરિત ઓરડાઓને તોડી નાખવામાં આવ્યા હતા. બાદમાં ઓરડાની સંખ્યા ટેન્ડરની આંટીઘુંટીમાં આજ દિન સુધી નવા ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું નથી. અને છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ફળિયામાં આવેલ ચર્ચમાં છ થી આઠ ધોરણના ત્રણ વર્ગના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે.
ચર્ચના કર્તાહર્તાઓ દ્વારા બાળકોને બેસવાની મંજૂરી આપી સુવિધા ઉપલબ્ધ કરાવી સેવાકીય અભિગમ દાખવતા બાળકો અને વાલીઓને રાહત થઈ હતી. સ્થાનિકો ચર્ચના અભિગમને બિરદાવી રહ્યા છે.
ઓરડાના અભાવે બાળકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. અને લાંબા સમયથી ઓરડાઓનું બાંધકામ ન થતા વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આવનાર દિવસોમાં સ્થાનિકો તંત્રના રેઢીયાળ કારભાર સામે બાયો ચડાવી આક્રમક કાર્યક્રમો આપે તો નવાઈ નહીં તેવી સ્થિતિ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર અધિકારીઓ જાગશે કે કેમ તે જોવું રહ્યું.
એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્થળ ઉચળ આવવાના પ્રયાસો કરી રહી છે. તો અંતરિયાળ ગામોમાં જર્જરિત ઓરડાને તોડી પાડ્યા બાદ નવી શાળા ઉભી કરવા માટેની કોઈપણ કામગીરી ન કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે અંધકારમય દેખાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર હવે આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરે અને જલ્દીથી જલ્દી આ શાળાના ઓરડા નું નિર્માણ કરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર