https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png
જૂનાગઢ2 મિનિટ પહેલા
- કૉપી લિંક
- શાળા સંચાલકો આવી ફરજ પાડે તો ડીઇઓને લેખીત ફરિયાદ કરો
કોઇપણ શાળા તેમના વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલનું જ સ્વેટર કે જેકેટ પહેરવા માટે ફરજ પાડી ન શકે. જો આવી ફરજ પાડે તો વાલીઓ ડીઇઓને લેખીત ફરિયાદ કરી શકે છે.આ અંગે મળતી વિગત મુજબ તગડી ફિ વસુલતી શહેરની અનેક શાળાઓ વધુ કમાઇ લેવાની લાલચ જતી કરી શકતી નથી.
પરિણામે વાલીઓની ખીચા કેમ હળવા કરી શકાય અને પોતાના ખીચા કઇ રીતે ભરી શકાય તે માટે નિતનવા ગતકડાં શાળા સંચાલકો કરતા જ રહે છે. ખાસ તો સ્કૂલ યુનિફોર્મ, ટેક્સ બુક તો અમુક દુકાનોમાંથી જ ખરીદવાનું કહેવામાં આવેછે.
આવા સ્ટોરના સંચાલકો સાથે શાળા સંચાલકોની મિલીભગત હોય છે જેથી કમિશન કમાઇ છે. જોકે, હદતો હવે થઇ છે કે, કેટલીક સ્કૂલો વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલનું જ સ્વેટર કે જેકેટ પહેરવા ફરજ પાડતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આ અંગે દિવ્ય ભાસ્કરે ડીઇઓ ભાવસિંહભાઇ રાઠોડનો સંપર્ક કર્યો હતો.
ત્યારે ડીઇઓએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, સ્વેટર કે જેકેટ યુનિફોર્મનો ભાગ નથી. માટે વિદ્યાર્થીએ ક્યું સ્વેટર કે જેકેટ પહેરવું તે જે તેશાળા સંચાલકો વાલીઓ- વિદ્યાર્થીઓ પર થોપી ન શકે. વિદ્યાર્થીઓ પોતાના વાલીએ લીધેલું સ્વેટર-જેકેટ પહેરી શકે છે. તેમ છત્તાં જો કોઇ શાળા સંચાલક પોતાના જ સ્વેટર- જેકેટ પહેરવા ફરજ પાડે તો તેની સામે વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીને લેખીત ફરિયાદ કરી શકે છે.
તમારી સમસ્યા અમને જણાવો
જો કોઇ શાળા સંચાલક વિદ્યાર્થીઓને પોતાની જ સ્કૂલે માન્ય કરેલું સ્વેટર- જેકેટ પહેરવા દબાણ કરે તો અમને દિવ્ય ભાસ્કરના 9340062355 નંબર પર જાણ કરો.