Sunday, January 15, 2023

એક મહિના સુધી અમદાવાદની ભાગોળે નગર ધમધમ્યું, હવે સ્વયંસેવકો બ્લોગ ઉખેડવા અને બોર્ડ હટાવવામાં જોતરાયા | PSM copleted after one month grand show now volunteers are trying to uproot blogs and remove boards.

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/psm_1673777209.gif

31 મિનિટ પહેલા

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સતત એક મહિના સુધી ઉજવણી થઈ હતી. ગઇકાલે 14મી જાન્યુઆરીના રોજ કાર્યક્રમ સપન્ન થતાં જ આજથી વાઈન્ડઅપની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આજે સવારથી જ સ્વયંસેવકો દ્વારા બ્લોગ ઉખેડવાનું અને બોર્ડ હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કાલથી આ કામગીરી વેગવંતી બનાવવામાં આવશે. મહત્તમ કામગીરી 18મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે તેવી શકયતા છે.

પ્રદર્શન ખંડ સહિત વિવિધ શો યોજવામાં આવ્યા
અમદાવાદના આંગણે સરદાર પટેલ રિંગ રોડ પરના ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવની તા. 15મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી સુધી ભવ્ય ઉજવણી કરવા માટે પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રદર્શન ખંડ સહિત વિવિધ શો યોજવામાં આવ્યા હતા. ઉપરાંત ગ્લો ગાર્ડન વગેરે ઊભા કરવામાં આવ્યા હતા. આ નગરની લાખ્ખો લોકોએ લાભ લીધો હતો.

200 એકરમાં પ્રમુખસ્વામીનગર બન્યું હતું
અમદાવાદના આંગણે સતત એક મહિના માટે યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી આમ તો 600 એકર જમીનમાં થઈ રહી છે. તેમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી મહારાજ નગર ઊભું કરવામાં આવ્યું હતું. આમ તો નગરમાં પ્રવેશવાના સાત પ્રવેશ વાર છે પરંતુ મુખ્ય પ્રવેશદ્વાર માત્ર વી.વી.આઈ.પી. ઓ માટે છે. જ્યારે ભાડજ તરફથી આવનારા હરિભક્તો તથા મુલાકાતીઓ માટે પ્રવેશ દ્વાર નંબર 2, 3 અને 4 માંથી નગરમાં પ્રવેશવાનું રહે છે. જ્યારે ઓગણજ તરફથી આવતા વ્યક્તિઓ માટે 5, 6 અને 7 નંબરના પ્રવેશદ્વાર ઊભા કરવામાં આવ્યા હતાં. નગરમાં એક કરોડથી વધુ બ્લોક પાથરવામાં આવ્યા હતાં.

દરેક પ્રવેશદ્વાર પાસે નંબરવાળા મોટા બલૂન રખાયા હતા
વિશાળ ફલક પર યોજાયેલા આ મહોત્સવમાં જગ્યા પણ વિશાળ હોવાથી વ્યક્તિ કઈ જગ્યાએથી પ્રવેશ્યો હતો તે ભૂલી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લઈને આ પરિસ્થિતિ નિવારવા માટે મતલબ કે કોઈ ભૂલા ના પડે તે માટે તેમને રાહ ચીંધવા માટે આકાશમાં પ્રવેશ દ્વારના નંબર દેખાડતા બલૂન દોરી સાથે સંધાન જાળવી ઉડતા મૂકવામાં આવ્યા છે. આ બલૂન આકાશમાં દોરી સાથે સંધાન જાળવી ઉડતા મૂકાયા હોવાથી સ્વાભાવિક રીતે જ વ્યક્તિનું ધ્યાન તેના પર પડે. જેથી તેઓ કયા પ્રવેશદ્રારમાંથી પ્રવેશ કરી રહ્યા છે તે પણ ધ્યાનમાં આવી જાય છે ત્યારબાદ તે વ્યક્તિ નગરના કોઈ પણ ખૂણામાં ઊભો હોય તો પણ તે આકાશમાં દોરી સાથે સંધાન જાળવી પ્રવેશદ્વાર નંબર સાથેના બલૂન ઉડતા મૂકાયા હોવાથી તેને પોતાનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે તેનો ખ્યાલ આવી જાય છે. આમ બીએપીએસ દ્વારા નગરના મુલાકાતીઓને અને ભક્તોને રાહ ચીંધવાની બેવડી ભૂમિકા અદા કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: