પીએમ બાદ બાળકીની લાશ પરિવારજનોને સોંપવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા નજીક બાવળના જાડી જાખરામાંથી અઢી વર્ષની બાળકીની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવી છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બાકીની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીનું પીએમ પૂર્ણ થયા બાદ બાળકીની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી છે. પીએમ રિપોર્ટમાં બાળકીના મૃત્યુ મામલે શું કારણ સામે આવે છે, તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
શકમંદ આરોપીને ગાંધીનગર તરફથી ઝડપી પાડ્યો
ડીસીપી સજ્જન સિંહ પરમારની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ ભરત બોરીસાગર અને તેમની ટીમ દ્વારા શકમંદ આરોપીને ગાંધીનગર તરફથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. શકમંદ આરોપીની પૂછપરછમાં શા માટે તેને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું હતું, તે સહિતની તમામ વિગતો મેળવવામાં આવશે. તેમજ પોલીસને યોગ્ય પુરાવા મળતા સમગ્ર મામલે આરોપીની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જાણવા મળતી વિગતો અનુસાર, મૃતક બાળકીનું નામ અનન્યા અમિતકુમાર ગોંડા હોવાનું સામે આવ્યું છે. તેમજ બાળકીનો પિતા શાપર વેરાવળ ખાતે મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને અમિતકુમાર ગોંડા બાળકીનો સાવકો પિતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે જામનગરમાં એક પિતાએ જ પોતાની પત્ની અને પુત્રીની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ હત્યારો આરોપી રાજકોટ નાસી આવ્યો હતો. જોકે, અહીં એ ડિવિઝન પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, Gujarat News, Rajkot News