રાજકોટ: મકરસંક્રાંતિનું આ પર્વ પતંગ રશિયાઓની મજા પક્ષીઓ માટે સજા બની છે. રાજકોટ શહેરમાં 358થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. જેમાં ઘાયલ થનારા વધુ પક્ષીઓમાં કબૂતરની સંખ્યા 352 છે બે પેનિકલ પક્ષીઓ ઘાયલ થયા છે. એક બાજ, એક કોયલ સહિતના પક્ષીઓ ઘાયલ થયા આ પક્ષીઓ ની સારવાર શહેરના ત્રિકોણ બાગ ખાતે ઉભા કરવામાં આવેલા ટેમ્પરરી સારવાર કેન્દ્રમાં સારવાર કરવામાં આવી રહી છે. પક્ષીઓની સારવાર માટે 14 ડોક્ટરોની ટીમ જુનાગઢથી બોલાવવામાં આવી છે એ ઉપરાંત સ્થાનિક ડોક્ટરોની પણ મદદ લેવાઈ રહી છે.
પંચનાથ વેટરનિટીમાં પક્ષીઓ માટે ખાસ વેન્ટિલેટર ઓક્સિજન સર્જરીના સાધનો કાર્યરત છે. આ મકરસંક્રાંતિના પર્વ પર પક્ષીઓની પાંખ કપાવી તેમજ શરીરના ભાગે દોરાના કારણે પહોંચવા આ ઉપરાંત પક્ષીઓના હાડકાને ફ્રેક્ચર પહોંચવા સહિતની ઇજાઓ પક્ષીઓને પહોંચતી હોય છે. ઘાયલ પક્ષીઓની સારવાર પૂર્ણ થયા બાદ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. આ સારવાર કરેલા પક્ષીઓની ઇજાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે તેમજ આ ઘાયલ પક્ષીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને ફરી વિહરતા કરાઈ હોય છે.
મકરસંક્રાંતિના પર્વ પર ઘાયલ થનારા પક્ષીઓની સારવાર માટે ડોક્ટરોની ટીમ ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ જે સ્થળેથી પક્ષીઓ ઘાયલ થયા હોય ત્યાંથી સારવાર કેન્દ્ર પર લાવનારી ટીમ તેમજ કરુણાનીથી ફાઉન્ડેશન વિભાગની ટીમ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યા છે. કરુણા ફાઉન્ડેશન દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર ઉપર ના અલગ અલગ વિસ્તારોમાથી કોલ આવતા હોય છે જ્યાં આ ટીમ પહોંચીને ઘાયલ પક્ષીઓને લઈને સારવાર કેન્દ્ર પર પહોંચતી હોય છે.
કયા કયા પક્ષીઓ ઘાયલ થયા?
352થી વધુ કબૂતર ઘાયલ થયા છે 2 પેનિકલ પક્ષી ઘાયલ થયા 1 સમડી પણ દોરી થી ઘાયલ 1 બાજ પક્ષી ઘાયલ થયું 1 કોયલ ઘાયલ થઈ