Monday, January 16, 2023

મધુરમમાં રોડ નજીકથી શાક માર્કેટ હટાવાઇ, કાયમી આ સ્થિતી રાખો | Remove the vegetable market from near the road in Madhuram, keep this status permanently

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/orig_1_1673840980.jpg

જૂનાગઢ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રોડની તદ્દન નજીક હોવાથી અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા થવા સાથે અકસ્માત સર્જાતા હતા

જૂનાગઢના મધુરમમાં વર્ષોથી રોડની તદ્દન નજીક જ શાક માર્કેટ ભરાય છે, જ્યાં આજુબાજુના રહેવાસીઓ- ખાસ કરીને મહિલાઓ શાકભાજી ખરીદવા માટે આવે છે. આ વિસ્તારમાં શાક માર્કેટ ન હોય શાકભાજી વેંચનારા નાના ધંધાર્થીઓ રોડની તદ્દન નજીક જ ઉભા રહીને શાકભાજી વેંચે છે.જોકે, આ રીતે થતા શાકભાજીના વેંચાણના કારણે રોડ પર અવાર નવાર ટ્રાફિક જામ સર્જાય છે. અનેક વખત નાના મોટા અકસ્માતો પણ થયા છે. ઉપરાંત હાલમાં રોડની એક તરફ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હોય આ ટુ-વે રોડ વન -વે બની ગયો છે.

પરિણામે એક જ રોડ પર વાહનોની આવન- જાવન થવા સાથે રોડની નજીક જ શાક માર્કેટ ભરાતી હોય ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની છે. ત્યારે આ સ્થિતીના ઉકેલ માટે થઇને મહાનગરપાલિકાની ટીમે જઇ રોડ નજીક ભરાતી શાક માર્કેટને રોડ પરથી હટાવી થોડી દૂર કરાવી છે. હવે શાકભાજી વાળા આજુબાજુની ગલીમાં ઉભા રહે છે. શાક માર્કેટ દૂર થતા રોડ પહોળો થયો હોય ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે તેમ લાગી રહ્યું છે. જોકે, આ વ્યવસ્થા કામય માટે જળવાવી જોઇએ તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

કારણ કે હાલ શાકભાજીની રેકડી હટાવ્યા બાદ જે જગ્યા ખુલી થઇ છે ત્યાં આડેધડ વાહન પાર્કિંગ થાય છે. ટુવ્હિલ તેમજ ફોર વ્હિલ ચાલકો આડેધડ વાહન પાર્ક કરી દે છે. પરિણામે શાકભાજીની રેંકડી હટાવ્યા બાદ અહિં આડેધડ પાર્કિંગ ન થાય તે પણ જોવું રહ્યું. અહિં વર્ષોથી શાક માર્કેટ બનાવવાની વાતો -વાયદા કરાયા છે, પણ શાક માર્કેટ બનાવાઇ નથી. ત્યારે શાકભાજીના ધંધાર્થીઓ માટે શાક માર્કેટ બનાવી વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી જોઇએ તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે.

સ્કૂલ છૂટવાના સમયે ટ્રાફિકની સમસ્યા માઝા મૂકે
એક તો મધુરમ બાયપાસ ચોવિસ કલાક ટ્રાફિકથી ધમધમતો એરિયા છે. ઉપરાંત મધુરમ વિસ્તારમાં અનેક સ્કૂલો આવેલી છે. ત્યારે ખાસ કરીને બપોરના તેમજ સાંજના સ્કૂલ છૂટવાના સમયે ટ્રાફિકની સમસ્યા માઝા મૂકે છે. સ્કૂલ બસ, સ્કૂલ વાન ઉપરાંત બાઇક અને સાઇકલ લઇને જતા વિદ્યાર્થીઓની ભીડ રહે છે. તસવીર: મેહુલ ચોટલીીયા

ત્રીજા ધારાસભ્ય બદલાયા, શાક માર્કેટનું સ્થળ બદલાશે?
શાક માર્કેટ ન હોય મધુરમમાં વર્ષોથી રોડની નજીક જ શાકભાજીનું વેંચાણ થાય છે.ત્યારે અહિં શાક માર્કેટ બનાવવાની તાતી જરૂરિયાત છે. મહેન્દ્રભાઇ મશરૂ, ભીખાભાઇ જોષી અને હવે સંજયભાઇ કોરડિયા ધારાસભ્ય બન્યા છે. આમ, ત્રણ-ત્રણ ધારાસભ્ય બદલાયા છે પરંતુ શાક માર્કેટનું સ્થળ બદલાયું નથી. ત્યારે આ ધંધાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શાક માર્કેટ બનાવી આપવી જોઇએ જેથી નાના ધંધાર્થીઓનો ધંધો જળવાઇ રહે અને ટ્રાફિકની સમસ્યામાંથી પણ કાયમી છૂટકારો મળે.

અન્ય સમાચારો પણ છે…