Saturday, January 14, 2023

Retired railway employee dies after being hit by stray cattle in Bhavnagar

ભાવનગર: શહેરમાં રખડતા ઢોરની અડફેટે વધુ એક નાગરિકનો જીવ ગયો છે. નિવૃત્ત રેલવે કર્મચારી પોતાના દીકરીના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન કુંભારવાડા વિસ્તારમાં રખડતા ઢોરે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોક મગ્ન બન્યો છે.

દીકરીના ઘરે જઈ રહ્યા હતા

ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈને વધુ એક વ્યક્તિનું મોત થતાં તંત્રના ઢોર પકડવાના દાવાઓ સામે પ્રશ્નો ઉભા થયા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ પાસે રહેતા દેવેન્દ્રભાઈ મૂળજીભાઈ પરમાર, જેવો રેલવેમાં નિવૃત કર્મચારી હતા. જ્યારે તેઓ તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા, તે સમયે ગોકુળનગરમાં એક ઢોરે દેવેન્દ્રભાઈને અડફેટે લેતાં દેવેન્દ્રભાઈને માથાના ભાગે ઇજા થતાં તેમને તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Published by:Azhar Patangwala

First published:

Tags: Bhavnagar news, Gujarat News, Stray Cattle


Related Posts: