દીકરીના ઘરે જઈ રહ્યા હતા
ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈને વધુ એક વ્યક્તિનું મોત થતાં તંત્રના ઢોર પકડવાના દાવાઓ સામે પ્રશ્નો ઉભા થયા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ પાસે રહેતા દેવેન્દ્રભાઈ મૂળજીભાઈ પરમાર, જેવો રેલવેમાં નિવૃત કર્મચારી હતા. જ્યારે તેઓ તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા, તે સમયે ગોકુળનગરમાં એક ઢોરે દેવેન્દ્રભાઈને અડફેટે લેતાં દેવેન્દ્રભાઈને માથાના ભાગે ઇજા થતાં તેમને તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે નિવૃત રેલવે કર્મચારીનું મોત, કુંભારવાડા વિસ્તારમાં રખડતા પશુની અડફેટે રેલવે કર્મચારી ગંભીર ઈજાગ્રસ્ત થતા મોત.#Breaking_News #news18 #news18gujarati pic.twitter.com/GCebID3tdf
— News18Gujarati (@News18Guj) January 14, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bhavnagar news, Gujarat News, Stray Cattle