Wednesday, January 18, 2023

મત્સ્યોદ્યોગને બચાવવા માટે માછીમારોને જમીની ખેડૂતનો દરજ્જો આપવા માગ; કોરોના મહામારીને કારણે હાલ માછીમારોનું અસ્તિત્વ જોખમમાં | Seeking to grant the status of land cultivators to fishermen to protect fisheries; Due to the Corona epidemic, the existence of fishermen is now in danger

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/18/7d089e72-3274-4ba0-a8e9-6fdfa34c04b0_1674024286821.jpg

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Seeking To Grant The Status Of Land Cultivators To Fishermen To Protect Fisheries; Due To The Corona Epidemic, The Existence Of Fishermen Is Now In Danger

ગીર સોમનાથ (વેરાવળ)18 મિનિટ પહેલા

ગુજરાતની જીડીપીમાં મહકત્ત્વનું યોગદાન આપનાર માછીમારો અને મત્સ્યોદ્યોગ કોરોના કાળ બાદ પોતાનું અને ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે દિલ્હી ખાતે કેન્દ્રીય ફિશરીઝ મંત્રી રૂપાલાને સૌરાષ્ટ્રના માછીમાર અગ્રણીઓએ રૂબરૂ મુલાકાત લઈને મત્સ્યોદ્યોગને બચાવવા માટે ગુજરાતના માછીમારોને જમીન ખેડુત તરીકેનું સ્ટેટસ આપવા સહિતની માછીમારોની પડતર માંગણીઓને લઈ વિસ્તારપુર્વક રજુઆત કરી છે. ત્યારે આ પ્રશ્નોને લઈ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર હકારાત્મક વલણ સાથે કાર્યવાહી કરશે તેવું હૈયાધારણા આપવામાં આવી હતી.

કોરોના મહામારી બાદ ગુજરાતના માછીમારો અને મત્સ્યોદ્યોગ અનેક મુશ્કેલીઓ સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહ્યો છે. ત્યારે અખીલ ભારતીય ફીશરમેન્સ એસો.ના પ્રમુખ વેલજી મસાણીની આગેવાનીમાં સૌરાષ્ટ્રના માછીમાર અગ્રણીઓ સાથે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ બેઠક કરી હતી. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં મત્સ્યોદ્યોગ અને માછીમારોને કનડગતા પ્રશ્નોની વિસ્તારપુર્વક રજુઆત અગ્રણીઓએ કરી હતી.

આ બેઠક અંગે ફિશરમેન સંસ્થાના તુલસી ગોહેલએ જણાવેલ કે, કોરોના મહામારીએ માછીમારો અને મત્સ્યોદ્યોગની કમર ભાંગી નાંખી છે. ત્યારે દેશ અને રાજ્યની જીડીપીમાં મહત્ત્વનું યોગદાન આપતો ગુજરાતના માછીમારો અને મત્સ્યોદ્યોગ વર્તમાનમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હાલ સંઘર્ષ કરી ઝઝુમી રહેલ છે. ત્યારે બંનેને બચાવવા માટે ગુજરાતના માછીમારોને જમીન ખેડુતનું સ્ટેટસ આપવું જોઈએ. આ ઉપરાંત ગુજરાતના માછીમારોની બોટો માટે ખરીદ કરવામાં આવતું ડીઝલ 100 ટકા વેરામુક્ત આપવા યોજના બનાવવા જરૂરી છે. આ સિવાય અનેક પ્રશ્નોની રજુઆત કરી તેનો ઉકેલ વ્હેલીતકે લાવવા ભારપૂર્વક રજુઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં મંત્રી રૂપાલાએ હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય ઘટતું કરવાની ખાત્રી આપી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: