Sunday, January 15, 2023

Vande Bharat: The Country Got The 8th Vande Bharat Train, PM Modi Flagged It Off

Vande Bharat Train: આ વંદે ભારત ટ્રેનની નિયમિત સેવા 16 જાન્યુઆરીથી શરૂ થશે. તેની ટિકિટનું બુકિંગ શનિવાર (14 જાન્યુઆરી)થી શરૂ થયું હતું.

PM Modi Inaugurate Vande Bharat Train: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (15 જાન્યુઆરી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયો હતો. વંદે ભારત એક્સપ્રેસ સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે. આ સાથે દેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે.

આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને મકરસંક્રાંતિ અને પોંગલની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગાણા-આંધ્ર વચ્ચેના વિરાસતને જોડવાનું કામ કરશે. તે આપણી શ્રદ્ધાને જોડવાનું પણ કામ કરે છે. આસ્થા અને પર્યટન સાથે જોડાયેલા સ્થળો ટ્રેનના રૂટ પર આવે છે, તેથી ભારત ધાર્મિક રીતે પણ મજબૂત બનશે.

‘ભારતીય સેનાની બહાદુરી અનોખી છે’ :
 
તેમણે કહ્યું કે આજે આર્મી ડે (સેના દિવસ) પણ છે. દરેક ભારતીયને સેના પર ગર્વ છે. રાષ્ટ્ર અને તેની સરહદોની સુરક્ષામાં ભારતીય સેનાનું યોગદાન, તેની બહાદુરી અજોડ છે. ભારત તેના સપના અને આકાંક્ષાઓ માટે હંમેશા આગળ રહે છે. આ સાથે આજે આ તહેવારના માહોલમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશને એક શાનદાર ભેટ મળી રહી છે.

live reels News Reels

‘પર્યટનને વેગ મળશે’ :

પીએમએ કહ્યું કે આ ટ્રેન નવા ભારતના સંકલ્પોનું પ્રતિક છે. સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ પ્રવાસનને વેગ આપશે. આજે ભારતીય રેલ્વેમાં મુસાફરી પહેલા કરતા વધુ આનંદપ્રદ બની રહી છે. ભાજપ દ્વારા છેલ્લા 7 થી 8 વર્ષમાં શરૂ કરાયેલા કામો રેલવેને સંપૂર્ણ રીતે નવજીવન આપી રહ્યા છે.

આ કાર્યક્રમમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના ગવર્નર ટી સુંદરરાજન સિકંદરાબાદ સ્ટેશન પર હાજર હતા. રેલ્વેએ જણાવ્યું હતું કે તેની પાસે 14 એસી ચેર કાર અને બે એક્ઝિક્યુટિવ એસી ચેર કોચ સાથે 1,128 મુસાફરોની બેઠક ક્ષમતા છે.

વંદે ભારતનો માર્ગ :

રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ , વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ એક્સપ્રેસ (20833) સવારે 5.45 વાગ્યે વિશાખાપટ્ટનમથી ઉપડશે અને બપોરે 2.15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. જ્યારે, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ટ્રેન (20834) સિકંદરાબાદ બપોરે 3 વાગ્યે ઉપડશે અને 11.30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે.

રાજનીતિથી ઉપર છે રેલ્વે અને દેશનો વિકાસ :

પીએમ મોદીએ આ ટ્રેન વિશે કહ્યું હતું કે દેશના એન્જિનિયર્સ, ડિઝાઇનર્સ, ટેકનિશિયનોએ તેને બનાવી છે. આ ટ્રેનમાં અવાજનું પ્રમાણ વિમાન કરતા 100 ગણું ઓછું છે, તે એન્જિનિયરો માટે ગર્વની વાત છે. રેલવે અને દેશનો વિકાસ રાજકારણથી ઉપર છે. જ્યાં પણ કેન્દ્રની જરૂર પડશે ત્યાં કેન્દ્ર ભંડોળ આપશે.

 

 

 

 

 

Related Posts: