Saturday, January 14, 2023

અમદાવાદમાં પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવશે, પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિર ખાતે દર્શન કરશે | Will celebrate Uttarayan with family and workers in Ahmedabad, visit the famous Jagannath temple

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/14/3_1673672623.gif

12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

આજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધામધુમથી મકરસક્રાંતીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા ગત મોડી રાત્રે આવી પહોંચ્યાં છે. અમિત શાહ ઉત્તરાયણના પર્વને લઈ બે દિવસ ગુજરાતાનો પ્રવાસે કરશે. અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકરો સાથે કરે છે. આજે પણ તે ગુજરાતમાં પોતાના પરિવારના સભ્યો અને કાર્યકરો સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે. અમિત શાહ અમદાવાદના જગવિખ્યાત જગ્નનાથ મંદિરમાં પૂજા કરશે.

સંસદીય વિસ્તારના કાર્યકર સાથે પતંગ ચગાવશે
અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગના ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ બે દિવસની રજાઓમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે તેઓ ગઈકાલે જ અમદાવાદ પહોંચી ગયા હતા. આજે તેઓ પરિવાર અને કાર્યકર સાથે પતંગ ચગાવાની મજા માણશે. પ્રથમ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પતંગ ચગાવ્યા બાદ બપોરે વંદે માતરમ સિટી ખાતે પણ કાર્યકરો સાથે ઉતરાયણ મનાવશે. તો સાંજે કલોલમાં કાર્યકરો સાથે અમિત શાહ ઉતરાયણ મનાવશે. 15 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં મોટી આદરજ ગામ ખાતે સહકારી કાર્યક્રમમાં પણ સામેલ થશે.

જગ્ન્નાથ મંદિર ખાતે દર્શન કરશે
આજ દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિર ખાતે પણ દર્શન કરશે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણમાં કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને શેરડીની મજા માણીને પતંગના પેચ લડાવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ બે દિવસની રજાઓમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં પતંગોત્સવ ઉજવશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: