સુરત39 મિનિટ પહેલા
- કૉપી લિંક

આવતીકાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં માનહાનિ કેસમાં હાજરી આપશે
રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના સંબોધનમાં આપવામાં આવ્યું હતું. તેને લઈને માનહાનિ કેસ સુરત કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આવતીકાલે 23 માર્ચના દિવસે ચુકાદો આવનાર છે.
સ્વાગત માટે ત્રણ પોઇન્ટ નક્કી કરાયા
રાહુલ ગાંધી આવતીકાલે સુરત કોર્ટમાં 11:00 વાગ્યા હાજર રહેશે. ભારત જોડો યાત્રા બાદ ગુજરાતમાં સુરત ખાતે પહેલી વખત રાહુલ ગાંધી આવી રહ્યા છે. ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમના સ્વાગતની વિશેષ તૈયારી કરવામાં આવી છે. ડુમસ ચોકડી પાસે સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યો છે તેમ જ વેસુ એસવીએનઆઇટી અને પૂજા અભિષેક એપાર્ટમેન્ટ પાસે ત્રીજો પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. આ ત્રણેય પોઇન્ટ ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
નેતાઓએ ધામા નાખ્યા
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત સુરત આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વાત કરી હતી. જેમાં તેમણે નિરવ મોદી અને લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદી સરનેમનો ઉલ્લેખ કર્યો હોવાથી સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત સેશન કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ચુકાદાની તારીખ 23 માર્ચ આપવામાં આવી છે. રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપશે. જેને લઈને કોંગ્રેસના નેતાઓ સુરત આવી પહોંચ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, રઘુ શર્મા અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત આવી પહોંચ્યા છે.
10 હજાર કાર્યકર્તાઓ રહેશે હાજર
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું કે, માનહાની કેસમાં આવતીકાલે ચુકાદો હોવાથી રાહુલ ગાંધીને હાજર રહેવા માટે કોર્ટે હુકમ કર્યો છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પૂર્ણ કર્યા બાદ પહેલી વખત સુરત આવી રહ્યા છે. ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે જોવા મળી રહ્યો છે. અલગ-અલગ સ્વાગત બનાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રભારી સહિતના તમામ શીર્ષ અનેતાઓ સુરતમાં ગઈકાલથી આવી ગયા છે. સુરત શહેર અને જિલ્લાના મળીને કુલ 10 હજાર કાર્યકર્તાઓ અલગ અલગ પોઈન્ટ ઉપર રાહુલ ગાંધીજીનું સ્વાગત કરશે.