રાજકોટ12 મિનિટ પહેલા
રાજકોટ જિલ્લામાં આજે ધુળેટીનો દિવસ હત્યા અને દુર્ઘટનાઓનો દિવસ બનીને રહી ગયો. જ્યાં વહેલી સવારે શહેરમાં એક નેપાળી પરિવારમાં નવજાત બાળકીની હત્યા થઈ તો બપોરના સમયે રીબડા રેલવે સ્ટેશન પર રાજકોટ તરફ જતી ઇન્ટરસિટી ટ્રેને એકસાથે 11 બળદને ઠોકરે લીધા હતા. જેમાં 6 બળદના કરણપીર મોત થયા હતા. જ્યારે 5 બળદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં ગૌરક્ષકોનો કાફલો તુરંત શાપર રેલવે સ્ટેશનને પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત બળદને પ્રાથમિક સારવાર પ્રદાન કરી તેના રેસ્ક્યુની કામગીરી હાથ કરી હતી.

ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું
11 જેટલા બળદોને લઈને રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના રીબડા રેલવે સ્ટેશન પર બપોરના સમયે રાજકોટ તરફ એક ઇન્ટરસિટી ટ્રેન આવી રહી હતી એ સમયે બળદ માલિક 11 જેટલા બળદોને લઈને રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો. પૂરપાટ વેગે આવતી ટ્રેનના કારણે રીબડા રેલવે સ્ટેશન પર જ ગમખવાર અકસ્માત સર્જાયો હતો. જેને પગલે એક બાદ એક કુલ 6 બળદ ટ્રેન સાથે અથડાયા હતા. જેને પગલે તેમનો ઘટનાસ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 6 જેટલા બળદ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઇજાગ્રસ્ત બળદને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર અપાઈ
એનિમલ શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા
અકસ્માતની આ દુર્ઘટનામાં ઘાયલ બળદની રક્ષા કરવાના સ્થાને બળદ માલિક સ્થળ પરથી ફરાર થયો હતો અને ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું. જ્યાંથી એક જાગૃત નાગરિક દ્વારા ગૌપ્રેમીઓને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. જેને પગલે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનના તબીબો અને ગૌપ્રેમીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગૌપ્રેમીઓ દ્વારા મૃત્યુ પામેલા બળદના મૃતદેહને રેસ્ક્યુ કર્યા હતા અને ઇજાગ્રસ્ત બળદને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપ્યા બાદ એનિમલ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી.

બળદના મૃતદેહને રેસ્ક્યુ કર્યા હતા
સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી
સમગ્ર ઘટનામાં ચાર કલાક જેટલો સમય વીતી ગયો હતો. આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા ફરાર બળદ માલિકને કાયદાના સકંજામાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.