Monday, March 13, 2023

બહુચરાજી પંથકમાં છેલ્લા 15 દિવસથી કેનાલનું પાણી બંધ કરાતાં ઉભો પાક સુકાવાની અણીયે | In Bahucharaji Panthak, the standing crop is on the verge of drying up after the canal water has been shut off for the last 15 days. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Bahucharaji Panthak, The Standing Crop Is On The Verge Of Drying Up After The Canal Water Has Been Shut Off For The Last 15 Days.

મહેસાણા43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બહુચરાજી તાલુકામાંથી પસાર થતી નર્મદાની માનાવાડા બ્રાન્ચમાંથી પડતી દેવગઢ માઈનોર કેનાલમાં છેલ્લા 15 દીવસથી પાણી બંદ કરી દેવામાં આવતાં આગળનાં ઇન્દ્રપ,ચડાસણાં,દેવગઢ, છેટાસણાં તેમજ ધનપુરા સહીતથી વધું ગામોનાં ખેડૂતોને સિંચાઈનાં પાણીથી વંચીત રહેવાનો વારો આવ્યો છે.

છેલ્લા 15 દિવસથી આ કેનાલમાં પાણી નહીં આવતાં ઉભો પાક સુકાઈ રહ્યો છે. દેવગઢ કેનાલમાં સમયસર પાણી નહીં છોડાતાં છેલ્લા 15 દિવસથી પાણી બંદ છે પરિણામે એરંડા તેમજ ઘાસચારાનો પાક સુકાવા લાગ્યો છે. તો તમાકુ,અજમો,વરિયાળી સહિતના પાક સુકાવાની અણીયે છે. જ્યારે હમણાં આવેલા કમોસમી માવઠું અને પવનનાં કારણે “ખેડૂતોને પડ્યા પર પાટું “જેવી સ્થિતિ થઈ છે.જેને લઈ સત્વરે પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

ઇન્દ્રપ ગામના ખેડૂત બળવંત સિંહના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી પાણી નથી આવતું.15 દિવસ થી પાણી વિના ખેતરો પડ્યા છે.વચ્ચે વચ્ચે કોઈ દિવસ પાણી છોડવામાં આવે છે.તેમજ જ્યારે રજુઆત કરવા જઈએ એના બાદ થોડા દિવસો સુધી પાણી આવે પછી બંધ કરી દેવામાં આવે છે જોકે આજ સાંજ સુધીમાં પાણી છોડવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: