પંચમહાલ (ગોધરા)31 મિનિટ પહેલા
- કૉપી લિંક

એક બાજુ નગરપાલિકાના લીઘે ગોધરા શહેરના 15 જેટલી સોસાયટી વિસ્તારોમાં એમજીવીસીએલના બાકી બિલના નાણા ભરપાઈ ન કરવાના કારણે ગોધરા શહેરમાં અંધારપટ છવાઈ ગયું છે. જેના લાભ અજાણ્યા ચોર ઈસમો લઈ રહ્યા છે અને ચોરીને અંજામ આપી રહ્યા છે. તેવો જ એક બનાવ ગોધરા શહેરના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આવેલા મીડસીટી એપાર્ટમેન્ટમાં બંધ મકાનના મેન દરવાજાનું મારેલ તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે 1,98,000 ની મતાની ચોરી કરી લઈ જતા મકાન માલિકે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.
તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી
આ બનાવ સંદર્ભે ગોધરા માર્કેટિંયાર્ડ વિસ્તારમાં આવેલા મીડસીટી એપાર્ટમેન્ટમાં રહેતા ભવદીપ નરેન્દ્રભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે, આજથી ચાર દિવસ પહેલા પોતાના એપાર્ટમેન્ટમાં આવેલા બંધ મકાનનામાં અજાણ્યા ચોર ઈસમ ઘરના મેન દરવાજામાં મારેલું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં બેડરૂમમાં મૂકી રાખેલી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અંદાજે 1, 98,000 ની મતાની ચોરી કરી લઈ ગયા હતા. જેથી ભવદીપ નરેન્દ્રભાઈ આચાર્યએ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી એફ એસ એલ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તથા ડોગ સ્કોર્ડની મદદથી વધારે તપાસ આદરી છે.