Wednesday, March 8, 2023

અંબાજી ચાચરચોકમાં માઈભક્તો રોજ 200 કિલો મોહનથાળ દર્શનાર્થીઓને નિઃશુલ્ક આપશે | At Ambaji Chacharchowk, 200 kg of Mohanthal will be given to the pilgrims every day, until the Devasthan continues to distribute. | Times Of Ahmedabad

અંબાજી8 કલાક પહેલા

ધુળેટીના પાવન દિવસથી ભક્તો દ્વારા નિઃશુલ્ક મોહનથાળ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરના ચાચરચોકમાં દરરોજ 200 કિલો નિઃશુલ્ક દર્શનાર્થીઓને આપવાનો નિણર્ય કર્યો છે. જ્યાં સુધી દેવસ્થાન તરફની મોહનથાળ ચાલુ નહીં કરાય ત્યાં સુધી આ મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે.

મોહનથાળ પ્રસાદ બંધ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો
અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાવતાં એના વિવાદનો હજી અંત આવ્યો નથી. ત્યારે સમગ્ર દેશમાં અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થતાં દરેક હિન્દુ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો છે. છેલ્લા 6 દિવસથી વહીવટીતંત્ર દ્વારા અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ કરાતાં સમગ્ર મામલો ગરમાયો છે. ત્યારે અંબાજી અને દેશભરના લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. અંબાજી મંદિરની ઓળખ ધરાવતું અને પરંપરાગત 500 વર્ષ કરતાં વધુ સમયથી માતાજીને મોહનથાળ પ્રસાદ ધરાવવામાં આવતો હતો અને માના મંદિરે મોહનથાળ પ્રસાદનું વેચાણ થતું હતું. જેથી દેશ દુનિયાથી આવતા માઇભક્તો માતાજીના આશીર્વાદ સ્વરૂપ ગણાતા મોહનથાળના પ્રસાદથી ધન્યતા અનુભવતા હતા.

ભક્તોએ નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ આપવાનું નિર્ણય કર્યો
આજે છેલ્લા 6 દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળ મહાપ્રસાદને વહીવટી તંત્ર દ્વારા બંધ કરાતાં સમગ્ર ભક્તો અને હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે દેશભરના ભક્તોની લાગણીને જોઈ ભક્તોએ નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરમાં આપવાનું નિર્ણય કર્યો છે. આજે અંબાજી મંદિરમાં 200 કિલો મોહનથાળનો પ્રસાદ ભક્તો દ્વારા બનાવી અંબાજી મંદિરમાં માતાજીને ભોગ ધરાવી મંદિરના ચાચરચોકમાં દરેક યાત્રાળુઓને પ્રસાદનારૂપમાં નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો.

દરરોજ 200 કિલો મોહનથાળ બનાવાશે
માતાજી તંત્ર અને કલેક્ટરને સદબુદ્ધિ આપે અને તેમને દ્વારા કરેલા તઘલખી ફરમાન, જે મોહનથાળ બંધ કરવાનો નિર્ણય કર્યો છે એ પાછો ખેંચી સમગ્ર ભક્તો અને હિન્દુ સમાજની લાગણીનું માન રાખે એવી ભક્તોને પ્રબળ માગ ઊઠી છે, સાથે સાથે અંબાજી મંદિરમાં જે અગર વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ મહાપ્રસાદ ચાલુ ન કરવામાં આવે તો તમામ ભક્તોએ અંબાજી મંદિરમાં દરરોજ 200 કિલો મોહનથાળ બનાવી આપવાનો નિઃશુલ્ક નિર્ણય કર્યો છે. ત્યારે આજથી દસ દિવસ સુધી દાતાઓના બુકિંગ પણ થઈ ચૂક્યાં છે. ત્યારે હજી પણ ભક્તો અંબાજી મંદિરમાં મોહનથાળ નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી રહ્યા છે.

સર્વ સમાજના દાતાઓના સહયોગથી પ્રસાદ વહેંચવામાં આવશે
આ મુદ્દે સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલે જણાવ્યુ હતું કે, અત્યારે અંબાજીમાં ભારોભાર આસ્થાની લાગણીને ઠેસ પહોંચાડવાની જે નીતિ ચાલી રહી છે. તે ખરેખર જે રીતે સોમનાથ મંદિર પર મહમદ ગઝનવીએ હુમલો કર્યો હતો અને એ વખતે આસ્થા પર ચોંટ પહોંચી હતી તેવી જ ચોંટ અત્યારે અંબાજીની અંદર સત્તાધીશોએ મોહનથાળ પ્રસાદ બંધ કરીને પહોંચાડી છે. આજે ધૂળેટીના પવિત્ર તહેવારે સમસ્ત બ્રહ્મ સમાજ અને અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા આજથી અંબાજીની અંદર દરરોજ નિઃશુલ્ક મોહનથાળ પ્રસાદ વિતરણ કરવાનું નક્કી કર્યુ છે. આજે શુભ મૂર્હતથી દરરોજ અંબાજીમાં આવતા ભક્તજનો માટે ચોખ્ખા ધી નો મોહનથાળ સર્વ સમાજના દાતાઓના સહયોગથી પ્રસાદ વહેંચવાનો નક્કી કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: