Friday, March 24, 2023

રાજકોટ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત 300 કરોડની રિકવરી, કડક કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ | For the first time in the history of Rajkot Municipal Corporation, recovery of 300 crores, due to strict action, there is a flutter in the arrears. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • For The First Time In The History Of Rajkot Municipal Corporation, Recovery Of 300 Crores, Due To Strict Action, There Is A Flutter In The Arrears.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મનપાની વેરા શાખાનો આ વર્ષની રિકવરીનો ટાર્ગેટ રૂ.340 કરોડ છે. ત્યારે ટાર્ગેટને પૂરો કરવા વેરા શાખાએ સ્પિડ પકડી છે અને આજે એક જ દિવસમાં 19 મિલકતોને સિલ કરી,3 નળ કનેકશન કટ કરી તથા 55 મિલકતોને ટાંચ જપ્તી નોટીસ ફટકારી રૂપિયા 1.90 કરોડની રિકવરી કરી છે. જેને પગલે મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત રૂપિયા 300 કરોડના વેરાની રિકવરી થઇ છે.

3.6 લાખ કરદાતાઓએ ટેક્સ ભર્યો
આ અંગે મનપાના મ્યુનિ. કમિશન અમિત અરોરાએ જણાવ્યું હતું કે, તા. 01/04/2022થી તા.24/03/2023 સુધીમાં રૂ.300.44 કરોડની કુલ વસુલાત વેરા વસુલાત શાખા દ્વારા કરવામાં આવી છે. ગત નાણાકીય વર્ષ 2021-22માં રાજકોટ મહાનગરપાલિકાએ કુલ રૂ.272 કરોડની રકમ પ્રોપર્ટી ટેક્સ પેટે વસુલ કરી હતી. ગત નાણાકીય વર્ષમાં કુલ 311079 કરદાતાઓએ ટેક્સ ચૂકવ્યો હતો જેની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષમાં આજ દિન સુધીમાં કુલ 366207 કરદાતાઓએ ટેક્સ ભરપાઈ કરેલ છે. ગત નાણાકીય વર્ષમાં કુલ રૂ.272 કરોડ વસુલાત કરવામાં આવી હતી એ પણ અગાઉના તમામ વર્ષોની સરખામણીમાં હાઈએસ્ટ હતી.

દૈનિક 2 કરોડની વસૂલાત
રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખાને મિલકત વેરાની ઉઘરાણી માટે 300 કરોડનો લક્ષ્યાંક અપાયો હતો. ફેબ્રુઆરી સુધીમાં માંડ 250 કરોડ ભેગા થયા હતા તેથી દરરોજ 2 કરોડની વસૂલાત જેવી અઘરી કામગીરી કરવાની થતી હતી પણ રિકવરી સેલ મારફત વેરા વસૂલાત શાખાએ કડક કાર્યવાહી કરતા કુલ વસૂલાતનો આંક 300 કરોડને પાર પહોંચી ગયો છે.

સરકારી કચેરીઓના વેરા બાકી
બીજી તરફ હજુ ઘણી સરકારી કચેરીઓના વેરા બાકી છે અને તેમના ચૂકવણા માર્ચ મહિનાના હિસાબ પૂર્ણ કર્યા બાદ આવશે તેવી શક્યતા મનપાને છે. જોકે આવતા વર્ષે આ કામગીરી દોઢી કરવી પડશે કારણ કે નવા નાણાકીય વર્ષ માટેનો લક્ષ્યાંક 450 કરોડ રૂપિયા જેટલો નિર્ધારિત થયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: