Wednesday, March 29, 2023

ગાંધીધામ સંકુલમાં રામનવમી હર્ષોલ્લાસ સાથે ઉજવાશે; 55 ઝાંકી સાથે રથયાત્રા નગરયાત્રા કરશે | Ram Navami will be celebrated with gaiety at Gandhidham complex; Rath Yatra with 55 Tableaus will perform Nagar Yatra | Times Of Ahmedabad

ગાંધીધામએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીધામ શહેરમાં ભગવાન રામ જન્મોત્સવ નિમિત્તે જુદા જુદા સમાજ, સંગઠનો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 55 ઝાંકી સાથે આ રથયાત્રા નગરયાત્રા કરશે. તેમજ આદિપુર લોહાણા સમાજ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. શહેરના ભારતનગર આશાપુરા મંદિરથી આ રથયાત્રાનો પ્રારંભ તા.30/3ના બપોરે 4 વાગ્યે કરાશે. જેમાં બ્રહ્મચારી પ્રકાશઆનંદજી મહારાજ, મહંત દેવેન્દ્રગિરિબાપુ, લઘુ મહંત ભરતડાડા ગુરુ દેવજી રાજા, રામકરણદાસજી મારાજ, ધર્મગુરુ ધીરજ ડાડા માતંગ, ધર્મગુરુ નાંગ ડાડા માતંગ વગેરે ઉપસ્થિત રહેશે.

આ રથયાત્રા સમગ્ર શહેરમાં પરિક્રમા કરશે. રથયાત્રામાં જુદા જુદા સમાજ, સંસ્થાઓની 55 ઝાંકી રજૂ કરવામાં આવશે. સનાતન હિન્દુ સમાજ, અખિલ ભારતીય નવયુગ સંસ્થા, શ્રીરામ સેના, હિન્દુ યુવાવાહિની વગેરે દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આદિપુર લોહાણા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. લોહાણા મહાજનવાડી ખાતે તા. 30/3/2023ના સવારે પૂજન- અર્ચન, ભજન સ્પર્ધા, મહાઆરતી, રામ જન્મોત્સવ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.