Saturday, March 11, 2023

લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં 9 એપ્રિલે શ્રીયંત્ર મહાપૂજા યોજાશે, શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન દ્વારા અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલન યોજાશે | Sriyantra Mahapuja will be held on April 9 in the premises of Lakshmi Vilas Palace, All India Chaturveda Mahasamela will be organized by Sri Maharudra Hanuman Seva Sansthan | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Sriyantra Mahapuja Will Be Held On April 9 In The Premises Of Lakshmi Vilas Palace, All India Chaturveda Mahasamela Will Be Organized By Sri Maharudra Hanuman Seva Sansthan

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
રાજ્યગુરુ પંડિત ધ્રુવદત્ત વ્યાસ. - Divya Bhaskar

રાજ્યગુરુ પંડિત ધ્રુવદત્ત વ્યાસ.

વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં 9 એપ્રિલના રોજ શ્રીયંત્ર મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પેલેસના રાજ્યગુરુ પંડિત ધ્રુવદત્ત વ્યાસ દ્વારા સાંજે 4 થી 7:30 વાગ્યા દરમિયાન પૂજા કરાવવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ રાજ્યગુરુ દ્વારા પેલેસના પ્રાંગણમાં શ્રીયંત્ર મહાપૂજાનું આયોજન કરાયું હતું. ચાલુ વર્ષે પણ એપ્રિલ મહિનામાં આયોજીત આ શ્રીયંત્ર મહાપૂજામાં યજમાનપદ પર અથવા તો પૂજામાં ભાગ લેવા શહેરીજનો દ્વારા નોંધણી કરાવવાની રહેશે. જ્યારે શ્રીયંત્ર મહાપૂજા રાજ્યગુરુ દ્વારા શાસ્ત્રોક્ત રીતે યોજાશે.

રાજ્યગુરુ પંડિત ધ્રુવદત્ત વ્યાસે જણાવ્યું હતું કે, મન જો માનવીના વશમાં રહે તો તે ધાર્યું કામ કરી શકે છે, પરંતુ જો મન જરાપણ ઢીલું પડ્યું કે વિચારોમાં અટવાયું તો કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક થશે નહીં. મનનો ડર અને મનની દરેક અવસ્થા જ મનુષ્યના ભવિષ્યનું નિર્માણ કરવા સક્ષમ છે. જ્યારે મંત્ર સાધનાનું પરિણામ હંમેશાં અદભુત અને પરિણામલક્ષી હોય છે.

અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલન યોજાશે
બીજી તરફ ભારતમાતા મંદિર, શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન અને ઉજ્જૈનના મહર્ષિ સાંદીપનિ રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા વડોદરાના વાડી મહાદેવ તળાવ પાસે રાજ્યમાં પ્રથમ વખત 12થી 17 માર્ચ સુધી અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલનનું આયોજન કરાયું છે. 12 માર્ચે સાંજે 6 કલાકે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમારોહનું ઉદઘાટન કરાશે.

13 માર્ચે સવારે 7:30 કલાકે વેદ શોભાયાત્રા કઢાશે, જે ભીડભંજન હનુમાન મંદિર, ચોખંડીથી શરૂ થઈ વાડી ટાવર, રંગમહાલ, ફડણીસનો વાડો અને મહાદેવ તળાવ થઈ ગોપાલનગરના સભા મંડપમાં પહોંચશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: