Sunday, March 12, 2023

તસ્કરોએ 93 હજારના દાગીના ચોર્યા; મારી નાખવાની ધમકી સબબ ત્રણ સામે ફરિયાદ; મોબાઇલ ઝુંટવી નાસી ગયેલો ઝડપાયો | Smugglers stole jewelry worth 93 thousand; Complaint against three for threat to kill; The mobile jhuntvi was caught absconding | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Smugglers Stole Jewelry Worth 93 Thousand; Complaint Against Three For Threat To Kill; The Mobile Jhuntvi Was Caught Absconding

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

મંદિરમાં ખાતર પાડતા તસ્કરો…
ખંભાળિયા-સલાયા ધોરીમાર્ગ પર સોડસલા ગામે આવેલા એક જાણીતા શિવ મંદિરમાં ગત તારીખ 28ના રોજ રાત્રીના સમયે કોઈ તસ્કરોએ ખાતર પાડી, મંદિરમાં રહેલા ચાંદીના નાગ, મુગટ વગેરે મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા અને મંદિરમાં સેવાપૂજા કરતા સોમગીરી કલ્યાણગીરી ગોસ્વામી (ઉ.વ. 58) એ સલાયા મરીન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત તારીખ 28મીના રોજ રાત્રિના આઠ વાગ્યાના સમયે તેઓ સોડસલા ગામના નાગનાથ મહાદેવના મંદિરમાં પૂજા-આરતી કરી અને બાદમાં લોક મારીને બાજુમાં રહેલા તેમના રહેણાંક મકાને ચાલ્યા ગયા હતા. જે ફરી તારીખ 1 માર્ચના રોજ સવારે સાત વાગ્યે મંદિરમાં પહોંચતા મંદિરની બહારનો દરવાજો ખુલ્લો હતો. જે ખોલીને અંદર પ્રવેશતા પ્રથમ દરવાજાનું લોક તેમજ નીજ મંદિરનું તાળું પણ તૂટેલું હોવાનું તેમના ધ્યાન આવ્યું હતું.

આ મંદિરમાં જઈને જોતા શિવલિંગ પર રહેલો ચાંદીનો નાગ તેમજ પાર્વતીજી તથા ગંગાજીની મૂર્તિ પણ ચડાવવામાં આવેલા મુગટ આ સ્થળેથી ગુમ થઈ ગયા હતા. આ ચોરી પ્રકરણમાં રૂપિયા 74,000ની કિંમતનો બે કિલોગ્રામ વજનનો ચાંદીનો નાગ તથા રૂપિયા 18,500ની કિંમતના 500 ગ્રામ ચાંદીના મુગટ મળી કુલ રૂ. 92,500નો મુદ્દામાલ ચોરી થયાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ના નિષ્ણાંતોની સેવાઓ લેવાની તજવીજ પણ કરવામાં આવી હતી.

યુવાનને મારી નાખવાની ધમકી…
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા ભરતભાઈ નાથાભાઈ મોઢવાડિયા નામના 26 વર્ષના મેર યુવાન સાથે કોઈ બાબતે બોલાચાની કરી, ગત તારીખ નવમીના રોજ રાત્રિના સમયે આ જ ગામના ભરત મેણંદભાઈ, પ્રતાપ દેવશીભાઈ અને આવળા પોલાભાઈ નામના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે બેફામ માર મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથધરી છે.

મોબાઇલ ઝુંટવીને નાસી ગયેલો શખ્સ ઝડપાયો…
ખંભાળિયામાં રહેતો એક યુવાન સાયકલ પર પોતાનો મોબાઈલ ફોન લઈને દુકાને જઈ રહ્યો હતો. ત્યારે બાઈક પર ધસી આવેલો એક શખ્સ તેમનો મોબાઈલ ફોન ઝુંટવીને નાસી જતા ખંભાળિયા પોલીસે તાકીદની કાર્યવાહી કરી. સલાયાના મુસ્લિમ શખ્સને દબોચી લીધો હતો.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં તાલુકા પંચાયત કચેરી સામે ડો. રાડીયા સાહેબ વારી ગલીમાં રહેતા જીગ્નેશભાઈ મનસુખભાઈ ચોપડા નામના 38 વર્ષના યુવાન શનિવારે બપોરે આશરે ત્રણેક વાગ્યાના સમયે પોતાના ઘરેથી જમીને દુકાને સાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે તાલુકા પંચાયત કચેરી પાસે પહોંચતા સાઇન મોટરસાયકલ પર ધસી આવેલા આશરે 20થી 25 વર્ષના એક શખ્સે જીગ્નેશભાઈના હાથમાં રહેલો રૂપિયા 15,000ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધા બાદ તેમને ધક્કો મારી, પછાડીને નાસી છૂટ્યો હતો.

આ બનાવ બનતા ખંભાળિયા પોલીસે જીગ્નેશભાઈ ચોપડાની ફરિયાદ પરથી ગુનો નોંધી વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જે સંદર્ભે અહીંના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ખીમભાઈ કરમુર તથા તેમની ટીમે તાકીદની કામગીરી કરી, અત્રે ચાર રસ્તા વિસ્તારમાંથી રાત્રિના દોઢેક વાગ્યાના સમયે સાઈન મોટરસાયકલ પર પસાર થતા સલાયાના રહીશ સિરાજ સાલેમામદ સંઘાર નામના 23 વર્ષના શખ્સની અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત મોબાઇલ ફોન ઝૂંટવીને નાસી ગયો હોવાની કબુલાત આપી હતી. જે સંદર્ભે પોલીસે ધોરણસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…