Wednesday, March 22, 2023

નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રજૂઆત કરવા આવેલા ABVPને સિન્ડિકેટ સભ્યનો જવાબ- 'સાતવાર નહીં સત્તરવાર રજૂઆત કરવી પડે' | Syndicate member's reply to ABVP who came to present at Narsingh Mehta University - 'You have to present not seven times but seven times' | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Syndicate Member’s Reply To ABVP Who Came To Present At Narsingh Mehta University ‘You Have To Present Not Seven Times But Seven Times’

જુનાગઢ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વારંવાર પ્રશ્નોને લઈ રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા જૂનાગઢ એબીવીપી સંગઠન દ્વારા નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા ગયા હતા ત્યારે સિન્ડિકેટ સભ્યો ડોલીબેન અજમેરાયે એબીવીપી સંગઠન સાથે આવેલા વિદ્યાર્થીઓને ધુત્કાર્યા હતા.

જૂનાગઢ એબીવીપી સંગઠન પોતાના પ્રશ્નો રજૂ કરવામાં નરસિંહ મહેતા યુનિવર્સિટીએ પહોંચ્યું ત્યારે સિન્ડિકેટ સભ્ય ડોલીબેન અજમેરાએ સાફ શબ્દોમાં કહી દીધું કે, સાતવાર નહીં પરંતુ સત્તરવાર પણ રજૂઆત કરવી પડે. ત્યારે વિદ્યાર્થીઓએ કોઈ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો જવાબદાર વ્યક્તિએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવી જોઈએ તેવું જણાવતા સિન્ડિકેટ સભ્ય ડોલીબેન અજમેરાયએ કહ્યું કે, સરકારમાં રજૂઆત કરો અને એબીવીપી ભારતીય જનતા પાર્ટીની એક પાંખ છે.

જે બાબતે જૂનાગઢ એબીવીપી સંગઠનના સંયોજક જેનીશ ભાયાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઘણા પ્રશ્નો વિદ્યાર્થીઓને આવ્યા છે જેને આજ દિન સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી અને યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા રીઝલ્ટમાં પણ વારંવાર ક્ષતિઓ સામી આવી છે. આવા અનેક વિદ્યાર્થી હિતના મુદ્દાઓને લઈને એબીવીપી દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વારંવાર લેખિત મૌખિક અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી.

વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યા છતાં હોવા પણ ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવતું નથી પરિણામોમાં વારંવાર ક્ષતિઓ રહી જાય છે જેનો ભોગ વિદ્યાર્થીઓને બનવું પડે છે જે વિષયોને ધ્યાનમાં લઇ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જે બેઠકનો ઘેરાવ એબિવિપી દ્વારા કરવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ આવેદનપત્રોની નકલ સિન્ડિકેટર સભ્યો સુધી પહોંચાડવામાં આવી હતી.

ત્યારે એબીવીપી દ્વારા રજૂઆત કરવા જતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડોલીબેન અજમેરાએ આકરા શબ્દોમાં સાફ કહી દીધું કે ” ભાજપ અને એબીવીપી બંને એક છે. અને એબીવીપીએ ભાજપની જ એક પાંખ છે. આ બાબતે એબીવીપી સંગઠનના સંયોજક જીનીશ ભાયાણીએ જણાવ્યું હતું કે, સિન્ડિકેટ સભ્ય ડૂબીબેન અજમેરાની આ ટિપ્પણી ગેર વ્યાજબી છે. અને તેનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે ભાજપની સ્થાપના 6/4/1980 ના રોજ થયેલ છે અને જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની સ્થાપના 9/7/1949 માં થયેલી છે. એબીવીપીએ સ્વતંત્ર વિદ્યાર્થી સંગઠન છે અને તે વિદ્યાર્થી માટે લડતું સંગઠન છે.

જે સમયે સિન્ડિકેટ બેઠકનો વિરોધ કરવામાં આવ્યો તે સમયે કુલપતિ પણ હાજર હતા. ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી સંતોષકારક જવાબ આપતા હતા પરંતુ સિન્ડિકેટ સભ્ય ડોલીબેન અજમેરા દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું જે પ્રકારની ( અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) એબીપી વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે તેનો એબીવીપીએ સખ્ત વિરોધ કર્યો હતો.

આ બાબતે જ્યારે ડોલીબેન અજમેરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મારા ધ્યાન બહાર કોઈ વિષય રહી ગયો હતો અને આ વિષય મારે જોવાનો ન હતો. એટલે કદાચ શરતો ચૂક થઈ ગઈ હતી.અને આ વિષય જે છે તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના જયભાઈ ત્રિવેદી જુએ છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: