જુનાગઢએક કલાક પહેલા
- કૉપી લિંક

જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામની સીમમાં રેલવે પાટા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. જેને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનો વાયરો વાયો છે. લાશ મળ્યાની જાણ માળિયા હાટીના પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે. મરણ જનાર પૂરૂષની ઉ.વ.30 હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કોઇપણ અગમ્ય કારણોસર ટ્રેનમાંથી પડી જતા અથવા કોઇપણ કારણોસર ટ્રેન નીચે આવી જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. લાશની ઓળખ હજુ સુધી થઇ નથી. ત્યારે યુવકે આપઘાત કર્યો છે કે ટ્રેનમાંથી જંપલાવ્યું છે. તે અંગેનું કારણ અકબંધ છે. માળીયાહાટીના ભંડુરી ગામના રેલવે પાટા પાસેથી અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.



અન્ય સમાચારો પણ છે…