Monday, March 20, 2023

સ્કૂલમાં મૃત પશુઓની દુર્ગંધ આવતા વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર; નાયબ કલેક્ટરને સોંપવામાં આવ્યું આવેદન | Boycott of education by students smelling dead animals in school; Petition handed over to Deputy Collector | Times Of Ahmedabad

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

બોટાદ નાયબ કલેક્ટરને કેરાળા ગામના પ્રાથમિક શાળાના પ્રશ્ને વિધાર્થીઓ, વાલીઓ અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા દ્વારા આવેદનપત્ર આપીને કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા છે. ધરણા કરતા લોકોએ રામધુન બોલાવી હતી. સ્કૂલ પાસે મૂર્ત પશુઓની ખાલ ઉતારવામાં આવતી હોવાથી આવે છે વિસ્તારમાં દુર્ગંધ આવે છે. છેલ્લાં એક માસથી વિધાર્થીઓએ આ મુદ્દે શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ કેરાળા ગામ કે જ્યાં આવેલ પ્રાથમિક શાળામાં 391 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરતું છેલ્લા એક મહિનાથી અહીં વાલીઓ અને વિધાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સ્કૂલ પાસે મૂર્ત પશુઓની ખાલ ઉતારવામાં આવે છે જેના કારણે શાળામાં દુર્ગંધ આવે છે. વિધાથીઓના આરોગ્ય જોખમાય છે. ત્યારે એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજરોજ બોટાદ કલેક્ટર કચેરીમાં શાળાના વિધાર્થીઓ, ગામના લોકો અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા દ્વારા નાયબ કલેક્ટ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં વિધાર્થીઓ અને વાલીઓ દ્વારા ધરણા યોજી રામધુન બોલાવવામાં આવી હતી અને જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે તેમ ગામના લોકોએ જણાવ્યું હતું.

આજથી આશરે ચારથી પાંચ મહિના પહેલા શાળાના શિક્ષણનો વાલીઓ દ્વારા બહિષ્કાર કરી 18 દિવસ સુધી શિક્ષણ બંધ રાખ્યું હતું. અધિકારીઓ બાંહેધરી આપતા ત્યારબાદ શિક્ષણ કાર્ય શરુ થયું હતું. પરતું ત્યારબાદ ફરી એજ પરિસ્થિતિ સર્જાતા હાલ એક મહિનાથી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં પરીક્ષા આવી રહી છે જેના કારણે બાળકોના અભ્યાસ ઉપર તેની અસર પડશે.

અન્ય સમાચારો પણ છે…