- Gujarati News
- Local
- Gujarat
- Porbandar
- Celebrations At The Dargah Of Hazrat Walianshah Pir, The Epitome Of Hindu Muslim Unity; Keeping The Decade Old Tradition, Offering Chadar
પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

પોરબંદરની નિરમા ફેક્ટરી પાછળ આવેલી સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની શાનદાર ઉજવણી થઈ હતી. ઉર્ષની આગલી રાત્રે સંદલ શરીફ કોડીનારથી ખાસ પધારેલા મહેમાને ખુશુસી પીરેતરીકત સૈયદ હાજી રફીકબાપુ કાદરીના હસ્તે ચડાવવામાં આવ્યું હતું. ત્યારે જેતપુરથી સૈયદ અસલમબાપુ, વેરાવળથી સૈયદ ફરીદબાપુ કાદરી, જામનગરથી સૈયદ અબ્બાસબાપુ સહિતના સૌરાષ્ટ્રના સૈયદ સાદાતે કીરામ, ઓલમા-એ-કીરામ પણ ખાસ ઉપસ્થિત હતા.

ઉર્ષ શરીફ નિમિત્તે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તથા નિરમા ફેક્ટરીના હોદ્દેદારોના હસ્તે દાયકાઓ જુની પરંપરા મુજબ ઉર્ષની પહેલી ચાદર દરગાહમાં ચડાવવામાં આવી હતી. આ ચાદરપોશીના પ્રોગ્રામમાં ખાસ પધારેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, કોંગ્રેસ સીનીયર અગ્રણી સામત ઓડેદરા તથા નિરમા કંપનીના અધિકારીઓ અને પોરબંદરના અનેક સામાજીક, સેવાકીય, રાજકીય, જમાતોના આગેવાનો, પ્રમુખો, અગ્રણીઓ ઉપસ્થિત હતા.

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાનું કોડીનારથી ખાસ પધારેલા સૈયદ હાજી રફીકબાપુ કાદરી તથા હઝરત વલીયનશાહપીરના ખાદીમ સૈયદ સાદીકર્મીયાબાપુ બુખારી તથા બસ તેરા કરમ ગ્રુપના અકબર સેલોત (એડવોકેટ), સમસ્ત સિપાઈ જમાતના પ્રમુખ ફેઝલખાન પઠાણ, પંજેતન ગ્રુપના અઝીમબાપુ કાદરી, યુસુફ શેરવાનીના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

ત્યાર બાદ સાંજે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ ન્યાઝનો લાભ લીધો હતો. ઉર્ષશરીફ નિમિત્તે દરગાહમાં આકર્ષક રોશનીનો ઝળહળાટ પણ કરવામાં આવ્યો હતો. આ ઉર્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે સૈયદ સાદીકીંયા હાસીમીંયા બુખારીના સાહબજાદા મોહમ્મદ મુસ્તુફાબાપુ બુખારીના નેજા હેઠળ મયુરસિંહ ગોહીલ, રાકેશ ગોહેલ, સલીમ મંધરા, જાવેદ જોખીયા, મહેબુબખાન, અમુ નૌવ્હી, એડવોકેટ અકબર સેલોત, અમુ સામતાણી, રહીમ કુરેશી સહિતના બસ તેરા કરમ ગ્રુપ પોરબંદર અને બસ તેરા કરમ ગ્રુપ જામનગરના સભ્યોએ ખાસ જહેમત ઉઠાવી હતી. આમ બસ તેરા કરમ ગ્રુપ અને હઝરત વલીયનશાહ વકફ ટ્રસ્ટ દ્વારા ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

