દારૂડિયો ડોક્ટર પતિ લગ્નના બે માસમાં જ પત્નીને ત્રાસ આપતો, કહેતો- બીજી પત્ની લાવીશ, તું મરી જા | Drunkard doctor husband used to torture his wife within two months of marriage, saying - I will get another wife, you die. | Times Of Ahmedabad

અમદાવાદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સરખજેના ફતેવાડીમાં કોર્પોરેટરની પુત્રવધુએ પિયરમાં આવીને ઘરમાં હુકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો જેમાં પુત્રવધુનું મોત થયું હતું.કોર્પોરેટરના દીકરા દ્વારા પત્નીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તથા બીજી પત્ની લાવવાનું કહ્યું હતું જેથી પત્નીને લાગી આવતા પત્નીએ આપઘાત કરી લીધો છે જે મામલે સરખેજ પોલીસે કોર્પોરેટરના દીકરા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરીત કરવાનો ગુનો નોંધ્યો છે.

વેજલપુરમાં રહેતા જોધપુરના કોર્પોરેટર અરવિંદ પરમારના દીકરા જય પરમારના લગ્ન 30 જાન્યુઆરીએ ફતેવાડીમાં રહેતા શૈલેષ પરમારની દીકરી જાનવી સાથે થયા હતા.જય પરમાર BAMS ડોકટર તરીકે સાણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં બજાવે છે.1 વર્ષ અગાઉ સગાઈ થઈ હતી.સગાઈ બાદ બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પરંતુ લગ્ન બાદ મુશ્કેલીઓ આવવા લાગી હતી કારણકે કોર્પોરેટરનો દીકરો જય દારૂ,સિગરેટ અને ગુટખા ખાઈને અવારનવાર ઝગડો કરતો હતો.

જાનવીને પિતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે દીકરી અવારનવાર પિયરમાં આવતી જતી હતી.દીકરી અને જમાઈ વચ્ચે ઝગડો થયો ત્યારે દીકરી મારા ઘરે આવી ગઈ હતી.ઘરે આવ્યા બાદ પણ ફોન પર બંનેના ઝગડો થતા હતા.બંને જણા 22 માર્ચે સાળંગપુર મંદિરે દર્શન કરવા ગયા હતા.આ દરમિયાન રસ્તામાં કોર્પોરેટર અરવિંદ પરમારનો ફોન આવ્યો હતો અને જાનવીને કહ્યું હતું કે જયની દારૂ,સિગારેટ અને ગુટખા છોડાવવા બાધા લેવડાવજો.

આ વાત થયા બાદ જયે જાનવીને ધમકાવી કે તે શા માટે મારા પિતાને આ અંગે જાણ કરી.મારા પિતાને મારા વ્યસન અંગે કોઈ જાણ નથી તો તે શા માટે કીધું.મંદિરે જતા આવતા બંને સમય જયે જાનવી સાથે ઝગડો કર્યો હતો.જાનવીને રાતર ઘરે મૂકી જઈને કહ્યું હતું કે હું બીજી પત્ની લાવીશ મારે તું જોઈતી નથી જેથી જાનવી ઘરર આવીને રડવા લાગી હતી.મેં જાનવીને કહ્યું હતું કે આપણે જયના પિતાને મળીશું અને વાત કરીશું. અમે રવિવારે મળવા જવાના હતા પરંતુ જયના પિતા અરવિંદભાઈએ તે દિવસે મળવા આવવાની ના પાડી દીધી હતી.

જય મારી દીકરી જાનવીને કહેતો હતો કે હું બીજી પત્ની લાવી દઈશ,તું મરી જ મારે તારી જરૂર નથી.આ મેસેજ પણ હતો જોકે જયે મેસેજ પણ ડીલીટ કરી દીધો હતો.જાનવીને આ અંગે લાગી આવતા જાનવીએ રૂમ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો.મેં મારા જમાઈ વિરુદ્ધમાં જ આત્મહત્યા કરવા દુષપ્રેરીત કરવા ફરિયાદ નોંધાવી છે.મારી દીકરી માટે મારે ન્યાય જોઈએ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم