Wednesday, March 22, 2023

ધ્રાંગધ્રાના નરાળી પાટિયા પાસે ઈકો કાર પલટી, પરીક્ષા આપી પરત આવી રહેલી એસ્સાર ગામના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો | Eco car overturned near Narali Patiya of Dhrangadhra, students of Essar village who were returning from exams met with an accident. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના પાટીયા પાસે ઇકો કારે અચાનક પલ્ટી મારતા 20 જેટલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. એસ્સાર ગામના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ગયા હતા, ત્યારે આ ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામા દિન પ્રતિદિન અકસ્માતોની ગોઝારી ઘટનાઓ વધતી જઈ રહી છે.

ત્યારે હજુ ગઈકાલે જ ધ્રાંગધ્રા-માલવણ હાઈવે ઉપર મજૂરો ભરેલા ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બેના મોત અને 15 મજૂરો ઘાયલ થયા છે. જે બનાવને હજી ગણતરીના કલાકો જ વિત્યા છે. ત્યાં જ ફરીવાર ધ્રાંગધ્રા પાસે ઇકો કારે પલ્ટી મારતા 20 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. સદનસીબે તમામ વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો.

જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા પાસે નરાડી ગામના પાટીયા પાસેના પીકઅપ બસ સ્ટેન્ડ પાસે પસાર થઈ રહેલી ઇકો કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અચાનક ઇકો કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં એસ્સાર ગામના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને પરત ફરતા હતા, ત્યારે આ ઘટના બની હતી. પરંતુ ઇકો કાર પલ્ટી મારતા એમા બેઠેલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. અને કોઈપણ પ્રકારની ઈજા કે જાનહાનિ થવા પામી નહોતી. ત્યારે આ અંગેની જાણકારી મળતા ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.તો બીજી તરફ ઈકો કારમાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ભરવામાં આવતા પણ સવાલો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે…