Tuesday, March 7, 2023

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમથી થયેલ ઉજવણી, પાલકી ઉત્સવ બાદ ભગવાનનો ભવ્ય અભિષેક | Gaur Purnima celebrated with grandeur at Harekrishna Temple Bhadaj, grand anointing of Lord after Palki festival | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

જગતમાં ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની યાદગીરીરૂપે 7 માર્ચ 2023ના મંગળવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ. ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 536મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનું પણ નિરૂપણ કરે છે અને ભકતો રાત્રે ચંદ્ર પૂર્ણપણે ખીલી ઉઠે ત્યાં સુધી ઉપવાસ રાખે છે.

જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રારંભ સર્વ શકિતમાન ભગવાન શ્રીકૃષ્ણ સ્વંયમ થકી કરવા ઈચ્છતા હતા. તેમજ સ્વંયમના ઉદાહરણ દ્વારા કેવી રીતે ભકિતમય સેવામાં સ્વયંએ સમર્પણ કરવું એ દર્શાવવા માંગતા હતા. આથી રાધારાની કે જે ભગવાનની સર્વોચ્ચ ભક્ત છે તેમના મનોભાવનો સ્વીકાર કરીને પોતે એક ભક્તરૂપે પ્રગટયા હતા. તેમના અવતરણના આ દિવસને ગૌર પૂર્ણિમા ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.

ભક્ત સમુદાય દ્વારા ચૈતન્ય મહાપ્રભુ જેમણે જગતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર નામનુ રટણ કરવાના ઉદેશનો પ્રસરાવ કર્યો એ ઉદેશનું નિરૂપણ કરતા હરિનામ સંકિર્તનનું રટણ દિવસ આખા દરમિયાન કરવામાં આવ્યું. મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રના આધ્યાત્મિક ધ્વનિતરંગોથી ગૂંજી ઉઠયો હતો અને ભકતોની આધ્યાત્મિકતાને વેગ મળતા તેમના ભગવાન પ્રત્યેના ભક્તિમય સમર્પણમાં ઉમેરો થયો હતો.

બપોરના સમયે, ભગવાનને 108 પ્રકારના વિવિધ વ્યંજનો સાથે રાજભોગ અર્પણ કરી આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ મંદિરમાં ઉપસ્થિત સર્વ ભક્તોને રાજભોગનો પ્રસાદનો લાભ આપવામાં આવ્યો. નિતાઈ ગૌરાંગ (ભગવાન ચૈતન્ય અને નિત્યાનંદા)ને સુંદર પૂષ્પોથી સુશોભિત પાલકીમાં મંદિરના અધિકારશ્રેત્રમાં વિહાર કરાવવામાં આવ્યો. ચૌતરફનું વાતાવરણ હરેકૃષ્ણ મંત્રના નાદથી અને ઢોલનગારાના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું.

પાલકી ઉત્સવ બાદ ભગવાનનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો જેમાં તેમને વિવિધ તત્વો જેવા કે દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ, અને 7 પવિત્ર નદીઓમાંથી એકત્ર કરેલ જળના 108 કળશ દ્વારા અભિષેક કરવામાં આવ્યો. અભિષેક દરમિયાન ગૌરઆરતી ભજન ગાઈને ખાસ આરતી ઉતારવામાં આવી. પછી ભગવાનને 108 પ્રકારના વિવિધ પ્રકારના વ્યંજનો-મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો.

હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્વારા ભગવાન ચૈતન્ય મહાપ્રભુની લીલા વિષયવસ્તુ પર ખાસ નાટક ભજવવામાં આવ્યું હતું. ઉત્સવના અંતમાં અતિભવ્ય મહા આરતી પણ કરવામાં આવી હતી. ભગવાનને મહા અભિષેક દરમિયાન અર્પણ કરેલ ફૂલોને ભક્તો ઉપર પ્રસાદ રૂપે વરસાવી, પુષ્પ હોળી પણ રમવામાં આવી જેનો બધા ભક્તોએ ખુબ આનંદ મેળવ્યો.

અન્ય સમાચારો પણ છે…