Friday, March 10, 2023

રાજપીપળામાં હરસિદ્ધિ મંદિરે માતાજીનો પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી; નવચંડી યજ્ઞ, અન્નકોટ દર્શન, રાસ ગરબા યોજાશે | Grand celebration of Mataji Pragatya Mohotsav at Harsiddhi Temple in Rajpipla; Navchandi Yagya, Annakot Darshan, Ras Garba will be held | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Grand Celebration Of Mataji Pragatya Mohotsav At Harsiddhi Temple In Rajpipla; Navchandi Yagya, Annakot Darshan, Ras Garba Will Be Held

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

રાજપીપળામાં બિરાજમાન મા હરસિદ્ધિ 422 વર્ષ પહેલા રાજા વિક્રમાદિત્યના વંશજ અને રાજપીપળાના રાજા વેરીસાલજી મહારાજની સાથે રાજપીપળા આવ્યા હતા, પરંતુ મા હરસિદ્ધિનું પ્રાગટ્ય શ્રીકૃષ્ણ ભગવાને ફાગણવદ ત્રીજ અને મંગળવારના દિવસે કોયલા ગઢ ખાતે કર્યું હતું. કહેવાય છે કે, કૃષ્ણભગવાનના પણ તેઓ કુળદેવી છે.

ગોહિલ વંશજ રાજાઓના પણ મા હરસિદ્ધિ કુળદેવી ગણાય છે. પારંપરિક રીતે નવરાત્રમાં અહીં રાજા રજવાડા દ્વારા જ પૂજન અર્ચન કરવાની પણ પ્રથા છે. ત્યારે માતાજી રાજપીપળા પધાર્યા તેને 422 વર્ષ થયા બાદ પ્રથમ વખત રાજપીપળા હરસિદ્ધિ મંદિરે આજે મા હરસિદ્ધિના પ્રાગટ્યોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. જેમાં માતાજીને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે અને 11 જોડા સાથે મહા નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દૂર-દૂરથી આવતા ભાવિક ભક્તો મા હરસિદ્ધિના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે…