પાટણ2 કલાક પહેલા
- કૉપી લિંક

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે વર્ષો જૂની પરંપરાગત રીતે નકળંગ ભગવાનની શોભા યાત્રા કાઢી ઉજવણી કરાઈ હતી.

ગામ લોકો ગામની ચારે બાજુ નકળંગ દાદાની પાલખી લઇને ધારવણી કરે છે અને ગામ લોકો પાલખી આગળથી ફૂલોથી વધાવે છે. ત્યારબાદ ગામ લોકો પાલખી દાદાના મંદિર તરફ લઇને આવે છે ત્યારે ગામની મહિલા દાદાની પાલખીની આગળ એક કલાક સુધી શેરીની સફાઇ કરે છે. ત્યારબાદ ગામ લોક દાદાની મુર્તિને દૂધથી અભિષેક અને પૂજા અર્ચના કરે છે.
દાદાની માનતા પૂરી કરવા માટે ભાવિ ભક્તો દૂર દૂરથી આ દિવસે આવતા હોય છે. ત્યારે ભાવિ ભક્તો દાદાના ચરણોમાં શ્રીફળ, એક કમખો પાસેર ઘીની માતર દાદાને ચડાવે છે.
અન્ય સમાચારો પણ છે…