Wednesday, March 22, 2023

ગાંધીધામમાં સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની જન્મજયંતીને લઈ ભવ્ય આયોજન કરાયું | In Gandhidham, Sindhi society organized a grand event on the birth anniversary of Ishtadev Bhagwan Jhulelal | Times Of Ahmedabad

ગાંધીધામએક કલાક પહેલા

  • કૉપી લિંક

સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની જન્મ જયંતી ‘ચેટીચાંદ’ આ વર્ષે ગુરુવાર, તારીખ 23 માર્ચના ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ, ગાંધીધામ દ્વારા શહેરના સમસ્ત સિંધી સમાજ માટે આખા દિવસના સાર્વજનિક કાર્યક્રમ સાથે હર્ષોલ્લાસથી ઉજવવા ધૂમ તૈયારીઓ કરાઇ છે.

ચેટીચાંદ મહોત્સવ તા.23/3ના ઝૂલેલાલ મંદિર, ગાંધીધામમાં એક દિવસીય કાર્યક્રમમાં સવારે 8 વાગ્યે ગાંધીધામથી આખા નેત્ર ભગવાન ઝુલેલાલના બહેરાણા સાહેબનો દીવો(જ્યોત)પ્રગટાવવામાં આવશે. સવારે 9:30 મહાઆરતી અને પલ્લવ, 10:00 છે જ (સિંધી નૃત્ય) દાંડિયાની રમત, સવારે 10:30 સમાજના દાતાઓ અને મહાનુભાવોનું સ્વાગત સન્માન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. સાંજનાં 5:30 વાગ્યે રથયાત્રાનાં આયોજનમાં સમાજનાં જુદાજુદા સંસ્થાઓ દ્વારા સિંધી સમાજના સામાજિક અને સાંસ્કૃતિક વિષય ઉપર સમુહમાં 72 જેટલી ઝાખીઓ પ્રદર્શનમાં નિકળશે. તે ઝુલેલાલ મંદિર ગાંધીધામથી આખા શહેરની પરિક્રમા કરશે અને ફરી ઝુલેલાલ મંદિર ગાંધીધામ સમાપન કરશે. લોકો માટે લંગર-પ્રસાદી, સમુહ ભોજન રાત્રે 8 કલાકે જુલેલાલ મંદિર ગાંધીધામ મધ્યે રાખવામાં આવેલ છે. રાતનાં 9 કલાકે મસુર ગાયક દ્વારા સિંધી સાંસ્કૃતિક કાર્યક્રમનું રસપાન કરાશે તેવું ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ ગાંધીધામના ચેરમેન ડોક્ટર કુંદનકુમાર ગુવાલાણી જણાવ્યું હતું. પ્રમુખ દર્શન ઇસરાની સૌને કાર્યક્રમમાં પધારવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: