Monday, March 13, 2023

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં રાતના અંધારે તસ્કરોએ ઘર લૂંટ્યું; રોકડા અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન | In Kapodra village of Ankleshwar, smugglers looted a house in the dark of night; Steal cash and gold and silver jewelry and escape | Times Of Ahmedabad

અંકલેશ્વર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં ઝકરીયા પાર્કમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 55 હજાર રોકડા મળીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને પલાયન થઈ ગયા છે. ચોરીની જાણ થતાં જ મકાન માલિકે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવાર મકાન બંધ કરીને બહાર ગામ ગયો હતો
અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં ઝકરીયા પાર્ક સોસાયટી આવેલી છે. જેમાં આસિફ ઈસ્માઈલ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ કોઈ કામ અર્થે પોતાનું મકાન બંધ કરીને પરિવાર સાથે બહાર ગામ ગયા હતાં. આ સમય દરમિયાન તસ્કરોએ રાત્રિના તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટકી તિજોરી અને તેનું લોકર તોડી અંદર રહેલા રોકડા રૂપિયા 55 હજાર, પત્નીના સોના-ચાંદીમાં દાગીના અને પુત્રીના ગલ્લામાં ભેગા કરેલા રૂપિયા લઈને અંધારામાં પલાયન થઈ ગયા હતાં.

પોલીસે ડોગ સ્કોડ અને FSLની મદદ મેળવી
જયારે બીજા સવારે આસિફ સોલંકી સવારે વહેલા ઘરે આવતા તેંમના રૂમનો દરવાજો ખુલ્લો જોતાં ચોરી થઈ હોવાનું અનુમાન લગાવી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. મકાન માલિકની ફરિયાદના આધારે પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવીને આસપાસ તપાસ કરી ડોગ સ્કોડ અને એફએસએલની મદદ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…